SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ બીજ ગુણસ્થાનને સાસ્વાદન સમ્યગૂદષ્ટિ ગુણસ્થાન કહેવામાં આવે છે. અહીં સ નો અર્થ સહિત, આને અર્થ કિંચિત અને વન ને અર્થ રવાદ છે, એટલે જેની સમ્યમ્ દષ્ટિ કિંચિત સ્વાદ સહિત છે, એવા આત્માની અવસ્થા વિશેષ તે સાસ્વાદન સમ્યગદષ્ટિ ગુણસ્થાન એમ સમજવાનું છે. સમ્યકત્વને સ્પર્શી ચૂકેલે આત્મા ઊંચા ગુણસ્થાન પરથી પડતું હોય અને ગંતવ્ય ગુણસ્થાન (પ્રથમ ગુણસ્થાન) સુધી પહોંચ્યો ન હોય ત્યાંસુધીની અંતરાલ અવસ્થામાં તે સમ્યકત્વના કંઈક સ્વાદવાળો હોય છે. ત્યારે તેને આ અવસ્થા પ્રાપ્ત થાય છે. આ અવસ્થા વક્ષ પરથી પડેલા પણ ભૂમિ સુધી નહિ પહોંચેલા ફલ જેવી છે. અહીં એ વસ્તુની સ્પષ્ટતા કરી લઈએ કે એકવાર સમ્યકત્વને સ્પશી ચૂકેલા આત્માનું સગવશાત પતન થાય છે અને આવું એકવાર નહિ, પણ અનેકવાર બને છે, તેથી જ સમ્યકત્વનું સંરક્ષણ કરવા માટે જન મહર્ષિઓએ વિવિધ પ્રકારે ઉપદેશ આપ્યા છે. ત્રીજા અને ચોથા ગુણસ્થાનનું સ્વરૂપ સમજવાથી આ ગુણસ્થાન બરાબર સમજાશે. - ત્રીજા ગુણસ્થાનને સમ્યગૂમિથ્યાદષ્ટિ ગુણસ્થાન કહેવામાં આવે છે, કારણ કે એ અવસ્થામાં આત્મા કંઈક સમ્યકત્વના પરિણામવાળો અને કંઈક મિથ્યાત્વના પરિણામવાળો હોય છે. અથવા નાળીએરીના બેટવાળા મનુષ્યને જેમ અન્ન ઉપર ચિ પણ હોતી નથી અને અરુચિ પણ હેતી નથીતેમ આ ગુણસ્થાને રહેલા આત્માને સમ્યફ કે મિયા ઉપર સચિ કે અરુચિ હેતી નથી. પહેલા ગુણસ્થાનથી ચડતો કે ચાથા ગુણસ્થાનથી પડતો આત્મા આ ગુણસ્થાને આવે છે. ચેથા ગુણસ્થાન ને અવિરત સમ્યગુષ્ટિ ગુણસ્થાન કહેવામાં આવે છે, કારણ કે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિ
SR No.022955
Book TitleJain Ddharm Parichay Part 02
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherVanechandbhai Avichal Mehta
Publication Year1962
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy