SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં સુધી જીવવું ત્યાં સુધી સુખપૂર્વક જીવવું અર્થાત બને તેટલા મોજશેખ અને એશ આરામ કરી લેવા. કદાચ એવા મેજશોખ અને એશ આરામ કરવા જેટલું દ્રવ્ય પાસે ન હોય તે બીજાની પાસેથી ઉછીનું લઈને પણ તે અવશ્ય કરવા, કારણ કે આ દેહ બળીને ખાખ થઈ ગયા પછી, પાછા આવવાનો નથી. પરંતુ ભારતના કોઈ પણ આસ્તિક દર્શને આ મતને માન્ય રાખ્યો નથી અને જૈન મહર્ષિઓએ તેનું નિરસન કરવાને જ અસ્થિ કિો” “જીવ–આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એ સિદ્ધાંત સ્થાપિત કર્યો છે. આજે વૈજ્ઞાનિકે કે ભૌતિકવાદીઓ તરફથી ગુણાત્મક પરિવર્તનનો સિદ્ધાંત આગળ ધરવામાં આવે છે, તે ભારતના ચાર્વાકે કે નાસ્તિકાના મતને જ મળતે છે, એટલે જરા પણ ઉત્તેજનને પાત્ર નથી. અહીં એ છે કે જેઓ પૃથ્વી આદિ પંચભૂતોના સમુદાયથી ચૈતન્ય શકિત ઉત્પન્ન થવાનું જાહેર કરે છે, તેમાંના કેઈએ પંચભૂતોના સમુદાયથી કે વિશિષ્ટ પ્રકારનાં સજનથી ચૈતન્યની ઉત્પતિ કરી બતાવી નથી. તેમજ જે વૈજ્ઞાનિક કે ભૌતિકવાદીઓ ગુણાત્મક પરિવર્તનનો સિદ્ધાન્ત આગળ ધરે છે, તેમણે હજી સુધી એની કઈ ફર્મ્યુલા એટલે બનાવટની વિધિ પ્રકટ કરી નથી કે તેના આધારે ગાય, ભેંસ, હાથી, ઘોડા, વાનર, મનુષ્ય વગેરે ચૈતન્યયુક્ત પ્રાણીઓની રચના કરી બતાવી નથી. એટલું જ નહિ પણ તેઓ આ જીવંત પ્રાણુનું કઈ પણ અંગ સજીવ બનાવી શક્યા નથી, એ દર્શાવી આપે છે કે તેમણે કપેલો સિદ્ધાંત ગધેડાના શીંગડા જે કલ્પિત છે. ” જે પંચભૂતના સમુદાયથી જ ચર્ચા શદિત ઉત્પન્ન થતી
SR No.022955
Book TitleJain Ddharm Parichay Part 02
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherVanechandbhai Avichal Mehta
Publication Year1962
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy