SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૯ થઈને મૃગાદિ પશુઓના સમૂહે જેમની મધુર ધ્વનિનું પાન કરી રહ્યા છે. અર્થાત્ પ્રભુની દેશના સાંભળી રહ્યા છે. સિંહ તથા હાથી વગેરે પ્રાણીઓ પોતાનું સહજ વેર ભૂલીને શાંત થઈને નજીકની ભૂમિમાં બેઠેલાં છે, –જેમની આસપાસ દેવ, મનુષ્ય અને તિર્યંચને સમુહ એકત્રિત થયે છે, સર્વ અતિશયથી પરિપૂર્ણ, કેવળજ્ઞાનથી ભતા અને સમવસરણમાં રહેલા તે પરમેષ્ઠિ અરિહંતના રૂપનું આવી રીતે આલંબન લઈને ધ્યાન કરવું તેને રૂપસ્થ ધ્યાન કહેલું છે. • પ્રતિમાથી રૂપસ્થ ધ્યાન. એજ પ્રમાણે શ્રી જિને શ્વર પરમાત્માની પ્રતિમાના રૂપનું ધ્યાન કરનારે પણ રૂપસ્થ ધ્યાન કરનાર કહેવાય છે. તે પ્રતિમાજીને ધ્યાન વખતે આ પ્રમાણે ચિતવન કરવું. શ્રી જિનેશ્વરની પ્રતિમા ગદ્વેષ અને મહામહ–અજ્ઞાનાદિ વિકારના કલંકથી રહિત છે, શાન, કાંત અને મને હર છે, સર્વ ઉત્તમ લક્ષણેથી ઓળખાયેલ છે, અન્ય તીથિકે એ નહિ જાણેલ ગ મુદ્રાની મનહરતાને ધારણ કરનાર છે, આંખને મહાન આનંદ અને અદ્ભૂત સ્થિરતા આપનાર, શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમાનું નિમલ મન કરી એક દષ્ટિએ ધ્યાન કરનાર રૂપસ્થ ધ્યાનવાન કહેવાય છે. તાત્પર્ય એ છે કે શ્રી જિનેશ્વર ભગવાનની શાન્ત મનહર અને આનંદી મૂર્તિની સન્મુખ ખુલ્લી આંખ રાખી, એક દષ્ટિથી જોઈ રહેવું, આંખ મીંચવી કે હલાવવી નહિં. તેમ કરતાં શરીરનું પણ ભાન
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy