SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૭ શંખ, મચકુંદ અને ચંદ્રમાના સરખું તે ધ્યાન કરનાર મનુ સમગ્ર પદાર્થોનાં જ્ઞાનમાં પ્રવિણતા મેળવે છે. અષ્ટાક્ષરી વિદ્યા. આઠ પાંખડીવાળા કમળને વિષે દેદીપ્યમાન તેજવાળા આત્માને ચિંતવ અને 8 કાર સહિત પહેલા મંત્રના (૩ નમો વારિતા એ મંત્રના) આઠે વર્ણોને અનુક્રમે આઠ પાંખડીઓ ઉપર સ્થાપવા. તેમાં પહેલી પાંખડી પૂર્વ દિશા તરફથી ગણવી અને તેમાં પહેલે » મૂકે પછી અનુક્રમે બાકીના અક્ષરોથી સ્થાપના કરી તે આઠ અક્ષરવાળા મંત્રને (કમળના અક્ષર ઉપર) અગિચાર વાર જાપ કરે. સર્વ જાતના વિદનેની શાન્તિ માટે આઠ દિવસ સુધી તે આઠ અક્ષરવાળી વિદ્યાનો જાપ કરે. એમ કરતાં આઠ દિવસે તે કમળની અંદર રહેલા પાત્રોમાં તે અષ્ટાક્ષરી વિદ્યાના વણે અનુક્રમે જોવામાં આવે છે. જ્યારે એ અક્ષર દેખાય છે, ત્યારે જેનારમાં એવું સામર્થ્ય આવે છે કે ધ્યાનમાં વિઘ કરનાર ભયંકર સિંહ, હાથી, રાક્ષસ અને બીજા વ્યંતરો વિગેરે પણ તત્કાળ શાન્ત થઈ જાય છે. - સિદ્ધચક્રનું ધ્યાન વિદ્યાપ્રવાદમાંથી ઉદ્ધાર કરીને, શ્રી વાસ્વામી આદિ જ્ઞાની પુરૂષેએ પ્રગટપણે મેક્ષ લદ્દમીના બીજ સરખું માનેલું, જન્મમરણાદિ દાવાનળને શાન્ત કરવાને માટે નવિન મેઘ સમાન શ્રી સિદ્ધચકજી (શ્રી નવપદજી) ને ગુરૂના ઉપદેશથી જાણુને કર્મક્ષય માટે ચિત્તવવું. સિદ્ધાંત રૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલ બીજા પણ
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy