SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ આપની પ્રતિમાનુ’પવિત્ર સ્પર્શન-આપની પ્રતિમાનુ પૂજન આત્મભાવને જાગૃત કરીને પ્રાણીઓના આત્માને નિમળ ખનાવે છે. પ્રભુ! આપનુ' નામસ્મરણ મારા પાપાને દૂર કરજો, આપનું દર્શન મારી પુણ્યસમૃદ્ધિને જાગૃત કરો અને દેવ ! આપનુ પવિત્ર પૂજન મારા સમસ્ત કર્મને દૂર કરી મારા આત્માના નિસ્તાર કરો, નાથ ! આ લાભ મેળવવા માટે હું આપનાં નવે અ'ગનું ભાવપૂર્વક પૂજન કરૂં છું.. સ્વામી ! પ ચમકાળમાં આપની દેશનાથી ભરેલ આગમ અને આપનુ` સ્મરણ કરાવતી આપની પ્રતિમા અમારૂં શરણુ હો. પૂજન વખતે ભાવવાની જુદી જુદી ત્રણ અવસ્થા. પ્રભુની ડિસ્થ, પદસ્થ અને રૂપાતીત એ ત્રણ અવસ્થાએ ભાવવી. તેના અથ એ છે કે પ્રભુનુ` છદ્મસ્થ પશુ, કેવલીપણું અને સિદ્ધપણું વિચારવું, સ્વપન બને અર્ચન વડે છદ્મસ્થ અવસ્થા ભાવવી, પરિકરમાં રચેલાં પ્રાતિહાર્યો વડે કેવલી અવસ્થા ભાવવી તથા કાસન અને કાર્યોત્સર્ગ આસન વડે શ્રી જિનેશ્વરાની અરૂપી સિદ્ધત્વઅવસ્થા ભાવવી. પિડ—તીર્થંકર દેવને તીર્થંકર પદવી પામ્યા પહેલાના દેહ, તેમાં રહેલી અવસ્થા ત્રણ પ્રકારની છે. ૧ જન્માવસ્થા ૨ રાજ્યાવસ્થા અને ૩ શ્રમણાવસ્થા. એ ત્રણે અવસ્થામાં ભગવાન છદ્મસ્થ-અસવજ્ઞ હાય છે.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy