SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ કરીને આપે નવતત્ત્વની પ્રરૂપણા કરી. એ નવતત્વમાં સંસારના સમસ્ત સચરાચર પદાર્થોને સમાવેશ થાય છે. પ્રભુ ! આપની પવિત્ર પ્રતિમાના નવ અંગેના પૂજનથી મને એ નવ તત્ત્વનું જ્ઞાન મળશે. સ્વામિ અગ્નિમાં તપાવેલ સુવર્ણ જેમ શુદ્ધ સ્વરૂપે પ્રકાશી ઉઠે છે, તેમ તપસ્યાની અગ્નિમાં તપાવેલ આ આત્માને કર્મમળ બળીને ભસ્મ થઈ જાય છે અને આત્માનું શુદ્ધ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય પ્રકાશી ઉઠે છે. પ્રભુ ! આત્મા ઉપરના કર્મમળને બાળવા માટે આપે નવ પદના મહાતપની પ્રરૂપણ કરી છે. એ એક એક પદના આરાધનથી આત્મા ઉપરનાં કર્મબંધને વધુને વધુ શિથિલ થતાં જાય છે. પ્રભુ ! આપની પ્રતિમાની નવ અંગની પૂજાથી મને એ નવપદ મહાતપની પ્રાપ્તિ થશે. પ્રભુ! જડકર્મથી આવી મળેલ આ કાયાનાં અંગેનું જતન કરવા મેહવશ બની મેં અનેક પાપાચરણે સેવી મારા આત્માને ભારે બનાવ્યું છે, નાથ ! આપના અંગેના પૂજનથી મારા અંગ ઉપર મારો મેહ નાશ પામશે અને મને આત્મભાવને લાભ થજે. દેવાધિદેવ ! શાંત રસમાં ઝીલતી આપની પ્રતિમા મારા અંતરતાપને શમાવીને મારામાં શાન્તિને સંચાર કરશે. પ્રભુ ! કઈ મહામંત્રની જેમ આપના નામ સ્મરણરૂપી મંત્ર પાપીઓના પાપનો નાશ કરે છે. નાથ! કઈ મહાદાનીની જેમ આપની પ્રતિમાનું દર્શન પ્રાણીઓને પુણ્યસમૃદ્ધિનું દાન કરે છે. દેવ! કઈ પારસમણિની જેમ
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy