SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ અ ' , , - - - - - - કે * - * . સિદ્ધાન્તનું પરિશજ્ઞાન, અતિશાયી ધમકથા, અવિ. સવાદિ નિમિત્તાદિ વ્યાપારો વડે ભવ્ય પ્રાણીઓને હિતકારી, મોક્ષનું બીજાધાનાદિસ્વરૂપ પરમાર્થ કરવા વડે વરબધિમાન પરુષ તીર્થંકરપણાને પામે છે-તીર્થકર નામ.. કર્મોની નિકાચના કરે છે.(૪) 'चिन्तयत्येवमेतत् , स्वजनादिगतं तु यः । तथाऽनुष्ठानतः सोऽपि, धीमान् गणधरा भवेत् ॥५॥ ભવથી તારવાની ભાવના પોતાના સ્વજને, કુટુંબીઓ. મિત્રો, દેશબંધુઓ વિગેરેને માટે જે બાધિ પ્રધાન, પ્રશસ્ત બુદ્ધિવાળો આત્મા ચિન્તવે છે, તથા તેને અત્તર, પરોપકાર રૂપ અનુષ્ઠાન સેવે છે, તે આત્મા દેવ, દાનવ અને માનવાદિને માનનીય તથા મહિમાવાળું શ્રી ગણધર પદ-શ્રી તીર્થંકર દેવના મુખ્ય શિષ્યપદને દેવાવાળ કર્મ ઉપાર્જન કરે છે. (૫) 'संविग्नो भवनिर्वेदादात्मनःसरणं तु यः । आरमार्थ संप्रवृत्तोऽसौ, सदा स्यान्मुण्डकेबली ॥६॥ માત્ર સ્વપ્રયજન સંવિગ્ન આત્મા જરા મરણાદિ. રૂપ દારૂણ અગ્નિથી સળગતા ભવરૂપી જંગલના મધ્યમાંથી માત્ર પિતાના આત્માને જ બહાર કાઢવાની ભાવના ભાવે છે તથા તેને અનુરૂપ અનુષ્ઠાન સેવે છે, તે આત્મા તથા. -પ્રકારના બાહ્ય અતિશયેથી શન્ય એવા મંડ કેવલીસામાન્ય કેવલીપણાને પામે છે. (૬) -
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy