SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ . . . રેગનું કારણ છે. ઘી એ જીવન નથી, પણ જીવનનું કારણ છે. આમ છતાં કારણમાં કાર્યને ઉપચાર કરી તેને કાર્ય રૂપે કહેવામાં આવ્યું છે. આવા કથનને ઉપચરિત કથન કહેવાય છે. અહીં પણ અવિરુદ્ધ આગમવચનને અનુસરતું અનુષ્ઠાન ચિત્તની શુદ્ધિ પુષ્ટિ રૂપ ભાવધર્મના કારણરૂપે વ્યવહારધર્મ છે. અર્થાત. કારણને પણ કાર્ય માનીને ઉપચારથી ધર્મ કહેવામાં આવ્યા છે. એ રીતે વ્યવહાર ધર્મ અને ભાવધર્મ બંનેનાં લક્ષણ કા. કારણરૂપ દ્રવ્યધર્મમાં ભાવધર્મને અંશ હોય છે. માટે ઉપચાર કરી શકાય છે. આ અંશ જેમાં ન હોય તેમાં તેને ઉપચાર કરી શકાતું નથી. દ્રવ્યધર્મ અને ભાવમાં અર્થાત વ્યવહાર ધર્મ અને નિશ્ચયધર્મ બંને પરસપર સાપેક્ષ છે. દ્રવ્યધર્મની અપેક્ષાએ જ તેના કાર્યને ભાવ ધર્મ અને ભાવધર્મની અપેક્ષાએ જ તેના કારણને દ્રવ્ય ધર્મ કહ્યું છે. આ રીતે કાર્ય કારણરૂપે બને પરસ્પર એક બીજામાં રહ્યા છે. પ્ર. ૧૩. વ્યવહાર ધર્મના લક્ષણમાં જણાવ્યું છે કે ત્યાગ કરવારૂપ ભાવેને ત્યાગ કરવા તથા ગ્રહણ કરવા લાયક ભાવેને ગ્રહણ કરવા રૂપ બાહ્ય પ્રવૃત્તિ તે ધર્મ. તે ત્યાગ કરવા રૂપ અને ગ્રહણ કરવા રૂપ ભાવે ક્યા કયા છે? ઉો ત્યાગ કરવા લાયક મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને મન, વચન, કાયાની અમ પ્રવત્તિ. આ બધા * એક જ . .
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy