SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ “ચઢી રાણી શિવાજી નુ ” ક્રિયા એટલે સદાચાર-સચ્ચારિત્ર-તે વિનાને ગુરૂ ત્યાગવા ગ્યા છે, તેમ દયાવિહીન ધર્મ પણ ત્યાગવા યોગ્ય છે. જે ધર્મમાં વા ધર્મના નામે કષાય કે ક્લેશની વૃદ્ધિ થતી હેય, બીજા છોને ત્રાસ થતો હય, જીવાત્માઓના સુખ તથા શાંતિને લય થતું હોય, છેવોને રીબાવવાનું કે દુ:ખી થવાનું થતું હેયતે ધર્મ નથી, પણ અધર્મ છે, માટે તે ત્યાગવા યોગ્ય છે. * કોઈ પણ જીવને દુઃખ આપનાર, પિતાના સ્વાર્થને માટે બીજાનું અશ્રેય કરનાર, બીજાને ત્રાસ આપનાર, તેને ઘાત કરનાર–એવા મનુષ્યાત્માનું હૃદય નિષ્ફર-કોર હોય છે. તેવા પાપી હૃદયને સબોધકે સદ્દજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તે પરમાત્મપદને પામી શકતું નથી. પરંતુ જે આત્મા બીજાને દુઃખમુક્ત કરવા પિતાના તન, મન, ધન સર્વસ્વનો ભોગ આપી તેને સુખી કરે છે, તે આત્માનું હદય કોમળ હોય છે, જેથી તે સદ્દબોધ કે સદ્દજ્ઞાનને પામી શકે છે. એક મહાત્માએ પણ કહ્યું છે કે garૌર્નિનપ્રાન સર્વે રણતિ ગંતવઃ | નિઝાલૈઃ વાકાણાનું ચ રતિ ર સ” . પારકા જીવને દુઃખ આપી, કષ્ટ તથા સંકટમાં નાંખી, તેને મારી કુટી ઘાત કરી, બીજાના પ્રાણોને સંહાર કરી પિતાનું રક્ષણ કરનારા તે અનંત છે આ વિશ્વમાં ભર્યા છે, પણ પોતાના પ્રાણવડે પારકાનું રક્ષણ કરનાર જગતમાં કોઈ વિરલાજ છે, અને તે જ ઉત્તમ નર કહેવાય છે. દયા વિના દાન, ભિક્ષા, સંધ્યા, પૂજન, સામાયિક, વ્રત, ધ્યાન, તપ, જપ, એ બધાં જલતરંગવત (નિષ્ફળ) કહ્યાં છે. વેદાંત શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – - “ો ધ્યાન મે જીરનાં વૈવ વસુંધરા - પ્રવચ નહિ ચા ન તુર્થે ધારિ!” . હે યુધિષ્ઠિર! એક જીવાત્મા સુવર્ણ મેરૂ વા સમસ્ત પૃથ્વીનું દાન . આપે અને અન્ય જીવાત્મા એક જીવને અભય (જીવિત) દાન આપે, તે તે સુવર્ણ તથા પૃથ્વીના દાન કરતાં અધિક છે. અભયદાન–એ ધર્મનું મૂળ વા બીજ છે. બીજ વિના ફળની પ્રાપ્તિ અને મૂળ વિના વૃક્ષની પ્રાપ્તિ હેતી નથી, તેમ અભય (દયા) વિના ધર્મની પ્રાપ્તિ પણ થતી નથી. ધર્મ કરનાર મનુષ્ય જે
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy