SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ નમુનારૂપ મહાત્મા ગાંધીજીના અંતઃકરણમાં પરિપૂર્ણતાએ પ્રાપ્ત થયા છે. એમ મારા પોતાના જાતિઅનુભવથી અને પ્રત્યક્ષ પરિચયથી કહી શકું છું. આગળ જણાવ્યા પ્રમાણે અતિસાર ( ઝાડા ) ના દર્દીને પોતાના હાથે સાફ કરી શારીરિક અનુકપા સિદ્ધ કરી છે. માત્ર દુ:ખીને જોઇ ‘ અરેરે ! આ બિચારા દુઃખી થાય છે ’ એમ અરેરાટનાં રાદડાં રાઈ ચાલ્યા ગયા ન હતા. પણ તેના શરીર તથા ખરાબ વોને સાફ કરી શારીરિક અનુક*પાદાનની સિદ્ધતા કરી બતાવી છે. લાખા અને કરોડા મનુષ્યા, તથા ગાય, ભેંસ, બકરાં વિગેરે પશુઓ અને સમસ્ત દેશનુ” હિત કેમ થાય—એ વિચારમાં તથા દેશનુ શ્રેય થાય તેમ વર્તવામાં પૂર્વાશ્રમના ૨૦–૨૫ વર્ષો બાદ કરતાં આખુ જીવન વ્યતીત કર્યું છે. જનસમાજનું શ્રેય—એજ જેમનુ જીવન છે. એ ઉપરથી માનસિક અનુકપાદાનની પણ સિદ્ધતા થાય છે, જેને લાખા રૂા. ની વાર્ષિક ઉપજ હતી, અને ધારાશાસ્ત્રીઓની માન્યતા પ્રમાણે મહાત્મા ગાંધીજી હિંદુસ્તાનમાં આવ્યા ત્યારે જો આફ્રિકામાં પોતાના બૅરીસ્ટરના ધંધા ચલાવ્યો હોત, તેા વીશ પચીશ લાખ રૂા. ની મુડી લઈને જ હિંદુસ્તાનના બદરે ઉતરત, છતાં તેટલી કમાણી અને મુડીને તૃણુવત્ ગણી પોતાની જીંદગી દીન-દુઃખી તથા દેશની સેવા માટે વ્યતીત કરી છે. જે વયમાં અનેક વાસનાઓની જાગ્રતી થાય, તેજ વય દેશસેવા માટે વ્યતીત કરી છે. તન, મન, ધન અને જીવનના સર્વાં ભાગ જનસમાજના હિતને અર્થે આપ્યા છે. જેથી આર્થિક અનુકંપાદાન પણુ પૂર્ણ રીતે સિદ્ધ થાય છે એમ નિઃશ ંકપણે હું કહી શકું છું. (૪) અભયદાનઃ— “ નીવાનાં વાં શ્રેષ્ટ, ડીયા નીવિતાશિક । તમાલમત્તાને સ્થા-ડમયાન શરતે ” | દરેક જીવાત્મા પોતાના જીવનની અને સુખની ઈચ્છા કરે છે. જેથી વાનું રક્ષણ કરવું. ભય અને દુઃખથી જીવાને મુક્ત કરવા–તે શ્રેષ્ઠ છે. ભય એટલે ત્રાસ અને દુ:ખ, અશાંતિ, કિશ્વામણા વિગેરેથી મુક્ત કરવા–તેને અભયદાન કહે છે. મહાત્મા તુલસીદાસજી કહી ગયા છે— “ યા ધર્મકો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. ” ધર્મનું મૂળ યા છે. ત્રાસથી દુ:ખી થતા જીવાત્માને ભયમુક્ત કરવાથી દીર્યાંયુ, સૌદર્યાં, આરાગ્યતા, ગ ંભીરતા વિગેરે ઉત્તમ ગુણાની પ્રાપ્તિ થાય છે. નીતિશાસ્ત્રકાર પણ કહે છે કે—
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy