SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ. ખરચવામાં આવ્યા, તેના પ્રમાણમાં હજારોની મીલ્કત ૫ણુ મહામુશીબતે મેળવી શકી છે, જેથી “ગજની ઘેાડીને સવા ગજનું ભાડું” એવું થેઈ જાય છે. રેલ્વેનાં ભાડામાં, જમણવારનાં વિવિધ રસના ભોજનમાં તથા મંડપની શોભા વધારવામાં જે લાખો રૂા. ખરચાયા છે, તે પ્રમાણે શું કરડે રાની મુડી મેળવી શકી છે કે લાખો ખરચવામાં આવે ? ત્રણ દિવસ ભેગા થઈ જે જે ઠરાવ ઘડ્યા, તેને પ્રચાર થવા માટે કેન્ફરન્સના આગેવાનો તથા કાર્યવાહકે એ પિતે દેશદેશ ફરી કેટલે આત્મભોગ આપ્યો છે? હા, પાંચ દશ કે પચીશ રૂા.ના પગારદાર ઉપદેશ દ્વારા એ કોન્ફરન્સના આગેવાને ઠરાવો પ્રચાર કરાવવા માટે, ફંડ એકત્ર મેળવવા માટે તથા ઉન્નતિ વધારવા માટે જેના કામની જ્યાં જ્યાં વસ્તી છે, ત્યાં મોકલી દે છે, એ આશ્ચર્ય ખ્યાલમાં કેમ નહિ આવતું હેય દશ રૂા.ના પગારદાર હજારે માણસોની સભામાં ભાષણ આપી સભા ઉપર શું અસર કરી શકવાના હતા ? એ સામાન્ય બુદ્ધિમાનને પણ સમજાય તેવું છે. ઠરાવને પ્રચાર, ફડને વધારવું અને ઉન્નતિ કરવી એ દશ રૂા.ના પગારદાર નોકરનું કામ નથી; પણ સેવા બુદ્ધિએ સેવા કરનાર આત્મભોગી વા તેમ ન બને તે છેવટે સે કે બસે રૂા. ના પગારદાર બી. એ. કે એમ એ સુધી કેળવાયેલા મહાવિદ્વાન ઉપદેશકેનું કામ છે. કે જેથી સભાને ધ્રુજાવી, પોતાની વિદ્વત્તાથી સભાનું મન આકથી લાખો રૂ. નું ફંડ મેળવી શકે અને તેથી કોન્ફરન્સની શું મહત્તા અને કર્તવ્યતા છે ? તે જન સમાજ પૂરતી રીતે જાણી શકે. જે વેપારી હજારેની કમાણીમાં લાખનો ખરચ રાખે તેની પેઢી ત્રીજી ઘડીમાં ઉડી જાય છે, તેમ કોન્ફરન્સની સંસ્થા કરશે તે આગળ ઉપર વર્ષો વર્ષે કેન્ફરન્સ ભરાય, એ અસંભવિત છે અને જ્યારે ભરવાનું બને ત્યારે બહારની શોભામાં જે હજારે ખરચાય છે, તે કમી કરી આવનાર દરેક જૈન બંધુ માથે રસોડાને ટેકસ પડે તે સમજાઈ જાય કે કેન્ફરન્સમાં સેવા બજાવનાર વધારે ભેગા થાય છે કે મોજમજાહ ઉડાવવા ખાતે વધારે માણસનું આવવું થાય છે. રેલવે કે રસોડાને ખરચ આવનાર ઉપર પડે તો નાના શહેરે કે મોટા ગામડાઓમાં પણ કેન્ફરન્સ ભરાવાનો ઉત્સાહ વધે; પણ આવા મેટા ખરચે બે નાના શહેરે ઉપાડી શક્તા નથી, જેથી પાંચ પચીશ મોટા શહેરમાં સ્થાનકવાસી મુનિઓએ જેમ પોતપોતાના સંધાડાના ક્ષેત્રો બાંધ્યા છે, તેમાં જ ઘણું કરી ચોમાસાં થાય છે, તેમ તેટલી ગણત્રીના શહેરમાંજ કન્ફરન્સ બાઈ ભલે ફર્યા કરે. કેન્ફરન્સના કાર્યવાહક ખંતથી કટિબદ્ધ થઈ આત્મભેગી બની એકત્ર થઈ, પક્ષાપક્ષની મલીન પ્રવૃત્તિને છોડી પ્રેમથી કામ કરવા ધારે તે કેન્ફરન્સ જે ઉન્નતિ પચીશ વર્ષે કરશે, તેથી પચીશગણી ઉન્નતિ એક
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy