SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ દશ વર્ષ સુધી કેલેજોમાં કરી હજાર રૂા. ખરચી મગજમારી કરી બી. એ. એલ. એલ. બી. થયા પછી ટ્રાય કરવાને માટે પાંચ દશ માસ કે વર્ષ બે વર્ષ ગાળે ત્યારે તે લાઈન ઉપર આવી શકે છે. દાક્તરી ધંધા માટે પણ પાંચ દશ વર્ષ સુધી તેવી મહેનત કરી રહ્યા પછી વર્ષે બે વર્ષે તે લાઈન ઉપર આવી શકે છે તેવી જ રીતે બી. એમ. કમર્શીઅલ વિગેરે દરેક ધંધામાં પાંચ દશ વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી પણ વર્ષ બે વર્ષ ટ્રાય કરતાં મહા મુશીબતે પસાર થાય છે, અર્થાત લાઇન ઉપર ચડી શકે છે. ત્યારે નામદાર બ્રિટીશના રાજ્યમાં કહે યા તો કેટલાક મેહલુબ્ધ કહેવાતા ધર્મગુરૂઓની પિપ સત્તામાં જે કઈ પણ વસ્તુ વગર અભ્યાસે કેવિના ઉમેદવારીએ સાંધામાં સેવી હોય તે માથું મુંડાવી વાસના વૃત્તિનું સ્વરૂપ સમજ્યા વિના અંતર સ્વરૂપની પ્રાપ્તિ વિના માત્ર વેશ પહેરી બહારની ધમાલમાંજ સાધુપણું માનનારાઓને સાધુપણું લેવું તે સી કરતાં સધુ હોય તેમ જણાય છે. મહાવીર જેવા સમર્થ મહાત્માએ બબે વર્ષ સુધી મુનિના પૂર્ણ આચાર પાળી વૃત્તિઓને કસોટીએ ચડાવી–તેમ કરવું આજ કેમ બની શકે? કેમકે તે સમયમાં એક બીજાના ગાડને લુંટનાર રબારીઓનું રાજ્ય ન હતું. પણ સિંહ સમાન સમર્થ આત્મબલિષ્ઠ મહાવીરનું રાજ્ય હતું. જેથી હરણ થવાની કે હરણ કરવાની ભીતી ન હતી અને આજ એ પ્રકારની ભીતિને લઈ શિષ્યને લઈ જલદીથી મુંડવામાં આવે છે. તે પ્રભુના શાસનને લજાવા જેવું થાય છે. ઘણું મુંડાશે તેથી મહાવીરના શાસનની ઉન્નતિ નથી. કેમકે– वरमको गुणिपुत्रो, न च मुर्ख शतान्यपि। एकश्चद्रस्तमो हन्ति न च तारागणोऽपि च ॥ અસંખ્ય તારાઓ જે ગાઢ તિમિર (અંધકાર) ને નાશ કરવા શક્તિમાન થતા નથી, તેજ અંધકારને નાશ એક ચંદ્રમા ત્વરાથી કરી શકે છે. તેમણે મૂર્ખપુત્રે વા શિષ્ય કરતાં એક ગુણ પુત્રથી જ કુલની ઉન્નતિ અને શોભાની વૃદ્ધિ થાય છે. વળી મહાત્માશ્રી યશોવિજયજી મહારાજે સાડા ત્રણસે ગાયાના સ્તવનમાં પ્રથમ ઢાલની ચિદમી ગાથામાં જણાવ્યું છે કે જેમ જેમ બહુ મૃત બહુ જન સંમત, બહુ શિષ્ય પરવરીઓ; છે તેમ તેમ જિનશાસનને વૈરી, જે નહિ નિશ્ચય દરિએ” ' પરમ બ્રહ્મપદ, પર પ્રકાશક, રાગ, દ્વેષ, વિષય, કષાય,મેહ, મમતા, ૨૮. - -- -
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy