SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ માગે ચલાવનાર, એક બીજા સાથે ઇર્ષ્યા, ક્લેશ, ખેદ કરી વેર–ઝેર વધારનાર, તીર્થં તથા મૂર્ત્તિઓના નિમિત્તે થતા ઝગડાઓને શમાવી દેવાનું ન કરતાં ઉલટા કુસંપ જગાડનાર, લોકાને ખોટી રીતે ઉલ્હેરનાર, દેશ ભુખથી રીબા હાય છતાં ઉત્સવ, મહાત્સવ, તથા જમણવારની પ્રવૃત્તિઓમાં ધર્મના નામે લાખા–કરોડ રૂપિયાના દુર્વ્યય કરાવનાર એવા ધર્મગુરૂઓનેાજ જ્યારે સૃષ્ટિમાંથી લય થશે વા પાપગુરૂઓની માફક જલસમાધિ પામશે અથવા તે તેમને દેશમાંથી બહિષ્કાર થશે, ત્યારેજ કામની, સમાજની, અને દેશની સંપૂર્ણ ઉન્નતિ થશે. ગચ્છ, મત, સંપ્રદાય વિગેરેની ભાવનાઓ ભૂલી જઇ, ખાદ્ય શુષ્ક ક્રિયાઓના ચુંથણાં સુંથવાનું છેાડી દઇ, મૂર્તિ કે મુહુપત્તીની કલ્પનાઓને તિલાંજલિ આપી, શૈવ, વૈષ્ણવના નામભેદને ભૂલી જઇ, વણિક, બ્રાહ્મણુ, ક્ષત્રિય, શુદ્ર, દશા, વીશા અને ખત્રીયાની કડાકુટને તિલાંજલિ આપી, હિંદુ મુસલમાનની ભાવનાને છેડી દ– અમે ભારતના સંતાનેા છીએ, હિંદ અમારી માતૃભૂમિ છે, તેના રક્ષણ તથા ઉન્નતિમાંજ અમારૂં શ્રેય છે, હિંદને માટે અમારા તન, મન, ધન તથા પ્રાણુ વિગેરે સર્વસ્વનો ભાગ આપવા અમે તૈયાર છીએ, હિ ંદુ અમારૂં જીવન છે, હિંદુ અમારૂ કુટુંબ વા જ્ઞાતિ છે, તેની સેવા માટે આત્મભાગ આપવા એજ અમારો ધર્મ છે, હિંદની સેવા એજ અમારૂં સામાયક, પ્રતિક્રમણ, સંધ્યાવંદન, પૂજન અને વ્રત છે ’–એવી ભાવનામાં સલગ્ન થઈ ઐક્યતાથી વર્તવા, ભ્રાતૃભાવથીજ જીવન વ્યતીત કરવા, સમસ્ત જનસમાજ ઉત્કૃષ્ટ ભાવના ખળે તથા આત્મિક ખળે વર્તાશે, ત્યારેજ દેશની ઉન્નતિ થશે, ત્યારેજ ભારતરૂપ વિશાળ મંદિરના પુનરૂદ્ધાર થશે, છાંદ્વાર થશે. માત્ર પોતપોતાનાં મદિરા કે દેરાં ચણાવવામાં કે સમારકામ કરાવવામાં દેશની ઉન્નતિ નથી, પણ હિંદ રૂપ ચૈતન્ય-મંદિરનું સમારકામ કરવામાં તેમજ હિ ંદના તેત્રીશ કરોડ દેવાના ઉલ્હાર કરવામાંજ દેશની ઉન્નતિ થશે. પરાયકાર્ " परोपकाराय सतां विभुतयः ,, સત્પુરૂષોનું સરવ પરમાત્માઓના ધ્યેયને માટેજ હેાય છે, અર્થાત્ સમસ્ત વિશ્વનું શ્રેય કરવામાં જ પેાતાનુ જીવન વા કવ્ય સમજે છે. દુ:ખને જોતાં પેાતાના પ્રાણના ભોગ આપીને પણ જો તેના દુઃખને દૂર કરવાની દાઝ ન આવી તે એ મનુષ્યનું હૃદય નહિ, પણ પાષાણુવત્ રાક્ષસનું હૃદયજ કહી શકાય. ગમે તેવું ઉંચુ જ પણ ક્ષાર ભૂમિમાં વાવવાથી નિષ્ફળ જાય છે, તેમ ગમે તેવા
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy