SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ [નિયમા શા માટે? રાણીને લાગ્યું કે આ તા સાપ ખાંડા થયા, એટલે તેણે જોરથી બૂમ મારીને કહ્યું કે ‘દોડા, ઢોડા, મારા વાસમાં ચાર પેઠા છે અને તે મને સતાવી રહ્યો છે.' ૨૪ આ બ્રૂમ સાંભળતાં જ દાસ-દાસી અને સેવક— સિપાઈ દોડી આવ્યા અને તેમણે વંકચૂલને પકડી લીધા. પછી સવાર પડતાં રાજા સમક્ષ રજૂ કર્યાં ને આકરી શિક્ષા ફરમાવવા અરજ કરી. રાજા તેા શું મળ્યું છે, તે બધું જાણતા જ હતા, એટલે તેણે વંકચૂલના ગુના માફ કર્યાં અને તેના નિયમની પ્રશંસા કરી સામંતપદ અર્પણ કર્યું. જ્યાં મૃત્યુદંડ માથે તેાળાઇ રહ્યો હતા, ત્યાં આ રીતે સન્માનભર્યું. સામતપદ અર્પણુ થાય એ જેવું તેવુ આશ્ચય ન કહેવાય! પણ વંકચૂલ સમજી ગયા હતા કે આ બધા પ્રભાવ ગુરુમહારાજે આપેલા નિયમના છે, એટલે તેણે મનથી ગુરુને વંદન કર્યુ” અને તેમણે આપેલા નિયમની પુનઃપુનઃ પ્રશંસા કરી. તે દિવસથી વ'કચૂલે ચારી કરવાના ધંધા સદંતર છોડી દીધા અને શહેરમાં રહી નીતિમય જીવન ગુજારવા માંડ્યુ. તે હવે પેાતાના નિયમેામાં પહેલા કરતાં પણ વિશેષ સાવધ બન્યા. એક વાર વંકચૂલને પેટના દુખાવા ઉપડયો. તે કેમે કરી મટત્યો નહિ. ઘણા વૈદો આવ્યા, ઘણા હકીમા આવ્યા, પણ કાઈ તેનું દર્દ કાબૂમાં લઈ શકયું નહિ. એ દુખાવામાંથી તેને ખીજા પણ અનેક દર્દો લાગુ પડયાં અને સ્થિતિ ગંભીર અની, એટલે રાજાએ તેના પ્રત્યેના પ્રેમથી
SR No.022922
Book TitleJain Shikshavali Niyamo Sha Mate
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy