SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુધમ–સામાન્ય ] ૧૬૫ સાધુ, કર્મ આવવાના અપ્રશસ્ત દ્વારેને સર્વ બાજુથી રોકી અનાસવી થાય છે અને અધ્યાત્મ તથા ધ્યાનયોગથી આત્માનું પ્રશસ્ત દમન તેમજ અનુશાસન કરનારો હોય છે. अतितिणे अचवले, अप्पभासी मियासणे । हविज्ज उअरे दंते, थोवं लटुं न खिसए ॥ ४ ॥ દશ૦ અ ૮, ગા. ૨૯ ] સાધુ ગુસ્સાથી બબડાટ ન કરનાર, ચપળતારહિત, માપસર બોલનાર, પરિમિત આહાર કરનાર તથા પેટનું દમન કરનારા હોય છે. તેઓ છેડે આહાર મળતાં ક્રોધ કરે નહિ. जाए सद्धाए निक्खंतो, परियायद्वाणमुत्तमं । तमेव अणुपालिज्जा, गुणे आयरियसम्मए ॥ ५ ॥ [ દશ૦ અ૦ ૮, ગા૦ ૬૧ ] (સાધુએ) જે શ્રદ્ધાપૂર્વક ગૃહને ત્યાગ કરી ઉત્તમ ચારિત્રપદને પ્રાપ્ત કર્યું હોય, તે શ્રદ્ધાપૂર્વક જ મહાપુરુષોએ બતાવેલા માર્ગનું અનુસરણ કરવું જોઈએ. देवलोगसमाणो य, परियाओ महेसिणं । रयाणं अरयाणं च, महानरयसारिसो ॥ ६ ॥ દશ૦ ચૂ૦ અ૦ ૧, ગા૦ ૧૦ ]. સંયમમાં અનુરક્ત મહર્ષિઓને ચારિત્રપર્યાય દેવલકના જેવું સુખ આપનાર છે. જેઓ સંયમમાં અનુરક્ત નથી, તેમને તે જ ચારિત્રપર્યાય મહાનરક સમાન કષ્ટદાયક થાય છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy