SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા મનનું સ્વરૂપ ૬૩ < નિદ્રામાં હાય છે, ત્યારે એનુ મસ્તક શાંત રહે છે અને નાડીચક્રો નિદ્રાની પૂર્ણાહુતિ પંત તેની રક્ષા કરે છે. ’ શરીરશાસ્ત્રીઓ કહે છે કે જનાવરોમાંથી ભેજું અર્થાત્ મગજનેા અમુક ભાગ લઈ લેવા છતાં તે સ કાયૅક્ સરલતાથી કરી શકે છે. દેડકા, કાચબા વગેરે તેનાં ઉદાહરણે છે. નાનામાં નાનાં જંતુઓમાં ભેજું હાતુ નથી, પરંતુ જ્યારે તેઓ જીવનના આરંભ કરે છે, ત્યારે તેમનામાં મનઃશક્તિ જોવામાં આવે છે. " આ બધી હકીકતાનું તાત્પર્ય એ છે કે મનનું મુખ્ય સ્થાન મસ્તિષ્ક નથી. મસ્તિષ્ક વિના પણ માનસિક કાર્યાં થાય છે. મન કોઈ પદાર્થોં વડે પ્રકટ થતું નથી, પણ ક્રિયા દ્વારા વ્યકત થાય છે. મનુષ્યના શરીરના પ્રત્યેક અણુમાં મન રહેલુ છે. એટલું જ નિહ પણ વિશેષ શેાધના એમ બતાવે છે કે જગતની સર્વ વસ્તુઓમાં મન મેાજૂદ છે, સમસ્ત જગતમાં મન વ્યાપેલું છે અને તેથી તે સબ્યાપક છે. સંસારમાં જે ચમત્કારો દેખાઇ રહ્યા છે, તે બધા મનને આભારી છે. મન ચરાચરમાં એતપ્રેાત છે, અને તે જ ચૈત્યન્યશક્તિ છે. તે શક્તિ વીજળીથી પણ વધારે સૂક્ષ્મ છે. વૈજ્ઞાનિકોના કથન અનુસાર ચૈતન્યશકિતના એક પરમાણુમાં ૨,૪૨,૫૫૦ મણુ વજન ઉચકવાની શિત રહેલી છે.’ આપણું મન બે પ્રકારનુ છેઃ એક પ્રકટ, ખીજું ગુપ્ત. પ્રકટ મનને બાહ્ય મન, ચેતન મન કે જાગ્રત મન કહેવામાં આવે છે. ગુપ્ત મનને આંતર મન, અચેતન મન કે પ્રસુપ્ત
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy