SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સંક૯પસિદ્ધિ જુદા મત પ્રદર્શિત કરે છે. એક માનસશાસ્ત્રી કહે છે કે | “મન એ વિચારશક્તિ, ભાવના, ઈચ્છા કે સંકલ્પને સારાંશ | (Sumtotal of thinking, feeling and willing) છે. આપણે મનને ગૂઢાર્થ જાણવા માટે વિચારશક્તિને અભ્યાસ કરવો જોઈએ.” મનનું સ્થાન શરીરમાં ક્યાં છે? તે જાણવું અત્યાવશ્યક છે. સામાન્ય રીતે મનનું સ્થાન મસ્તિષ્ક માનવામાં આવે છે, પરંતુ ઘણુ માનસશાસ્ત્રીઓને મત તેથી જુદો છે. તેમનું એ કથન છે કે “મનનું સ્થાન મસ્તિષ્ક જ નહિ, પરંતુ સમસ્ત શરીર છે, શરીરનું આણુએ અણુ છે.” માનસશાસ્ત્રી આલબર્ટ કહે છે કે “મસ્તિષ્ક કેવલ તર્કશક્તિ અથવા બુદ્ધિનું સ્થાન છે. આપણું મન શક્તિ, પ્રેરણું આદિ શક્તિઓ એ સ્થલમાં નથી.” ડો. મેડેલે કહે છે કે “સ્મરણશક્તિ મસ્તિષ્કમાં રહેતી નથી, પરંતુ નાડીચકોમાં રહે છે. અને તેજ કારણે આપણું શરીરનાં અવયવો પિતાનું દૈનિક કાર્ય પોતાની આદત પ્રમાણે કરે છે.” ડો. હેમંડનું એ કહેવું છે કે “પ્રેરણશક્તિને મસ્તિષ્કની સાથે કેઈ સંબંધ નથી. ઘણું જનાવરે મનુષ્યની અપેક્ષાએ કેટલાયે કાર્યો પિતાની પ્રેરણશક્તિ વડે અધિક ચતુરાઈથી કરે છે.” પ્રો. એજેનું એ કથન છે કે જ્યારે મનુષ્ય
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy