SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ યુમવીર આચાર્ય તો તે તમે જ બતાવે –કે માગ ? ” આપણે એક દિવસ નક્કી કરીએ. તે દિવસે પાંચે મિત્રે સંસારનાં બધાં બંધન તેડીફાડીને નીકળી જઈએ. એક જ જગ્યાએ મળીએ અને પછી તો પાંચેની જેવી જગત જઈ રહેશે !” વાહ ! સૂબા ! વાહ ! તારી બુદ્ધિ તો કઈ અજબ છે. અમે બધા કબૂલ, પણ જે જે હે કોઈ ફસકી ન જતા, નહિ તે આદર્યા અધૂરાં રહેશે.” સાંકલચંદ મૂળચંદ ખંભાતીએ બધાને ચેતવ્યા. પાંચે મિત્રો વૈરાગ્યના રંગે રંગાઈને છૂટા પડ્યા. મુક્તિના દિવસની રાહ જોવા લાગ્યા. આપણે છગનભાઈ તો પહેલેથી ઉત્સુક હતા. પૂર્વજન્મના સુકૃત, માતાને તીર્થકરને ચરણે ને સંદેશ અને મહારાજશ્રીની અમૃત વાણી વગેરેથી પ્રભાવિત થઈને સંસાર તરફ ઉદાસીન હતા જ. મિત્રોના સંકલ્પથી તેમને આનંદ થયો. રાત્રિ-દિવસ એજ ધૂન, એજ સ્વપ્ન. જેમ જેમ દિવસ નજદીક આવત ગયો તેમ તેમ છગનભાઈનું મન પ્રફુલ્લ રહેવા લાગ્યું. પણ વિધિનું નિર્માણ તે જુદું જ હતું. જનાના ઘડવૈયા હરિલાલ સૂબા જ પહેલા ફસયા. વૈરાગ્યભાવ ઓસરી ગયો; એટલું જ નહિ પણ પોતાના સાથીદારોના વાલીઓને પણ બીજાની દ્વારા સમાચાર પહોંચાડી દીધા. બસ થઈ રહ્યું–જના નિષ્ફળ ગઈ. બધાના વૈરાગ્યભાવ ઠંડા પડી ગયા. છગનભાઈની પરિસ્થિતિનું તો પૂછવું જ
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy