SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ રે મુa[ો . જિ. .] ચીતરાણ છે અને વિચારક વાચકને ખૂબ મજા આપે તેવા રસદાર થઈ પડવ્યા છે. ખૂદ આચાર્યશ્રીની દીક્ષાનો પ્રસંગ “તીર્થકરને ચરણે થી શરૂ કરીને પ્રથમને અગિયાર પ્રકરણનો પ્રત્યેક પ્રપંગ આ પરિભાષામાં લખાય છે અને સંકલિત જનાને પરિણામે મન પર છાપ પડે તેવા આકારમાં રજૂ થયો છે. સાધુએ વાપરવાની ભાવસંમતિ આખા ધના પ્રત્યેક પ્રસંગમાં પ્રાન થતી આવી છે અને પ્રતિભાશાળી વ્યક્તિની વચનશૈલી કેવી સુસ્પષ્ટ, સંક્ષિણ અને સુરુચિજન્ય હોય તેને પરિપૂર્ણ અભ્યાસ પૂરી પાડે છે. અભ્યાસક દષ્ટિએ ચારિત્રમાં રંગાયેલા સંતને પૂર્ણ પરિચય હોય તેમના ભાષાસંમતિને સમજવાની આવડત હોય, જે જે આકારમાં એ ઉદ્દભવી હોય તે જ આકારમાં રજૂ કરવાની વિચારસ્પષ્ટતા અને વિવેચકકળા પ્રાપ્ત થયેલ હોય તે જ આવી વચન પ્રાસાદિને કાયમ કરી શકાય છે. આખા ગ્રંથને કઈ પણ સંભાષણ પ્રસંગ વાંચતાં તે વખતે “યુગવીર આચાર્ય 'ને તમારી સન્મુખ જોઈ શકે, તેમની માનસિક દશામાં પ્રવેશ કરી શકે અને તેમને યથાસ્વરૂપ માનસચિત્રમાં સામે નિહાળી શકે એવી આબેહૂબ વચન ચિત્રાવલી તૈયાર કરવા માટે લેખકને અભિનંદન આપવા મન થઈ આવે છે. આ અતિ વિશિષ્ટ કળાપ્રાપ્તિ અસાધારણ છે. સાધુ મહારાજની ભાષા રજૂ કરવાની વાત અતિ કઠિન છે અને તે કરવામાં રસક્ષતિ થવા દીધા વગર ફતેહ મેળવવી લગભગ અશક્ય છે. એ વાત જે સમજે તે આખા ગ્રંથના શબ્દચાતુર્ય, ભાષા માધુર્ય અને અંતર્ગત રસપ્રવાહની ઊમિને બરાબર સમજી શકે. લેખકે કઈ કઈ પ્રસંગોની ચિત્રામણ તો ભારે યુક્તિ પૂર્વક કરી છે અને તેની ગોઠવણ કરવામાં ખૂબ એજન્મ દાખવ્યું છે. “ક્રાંતિકારી કે શાંતિકારી'ના ત્રીશમા પ્રકરણમાં જયપુર શહેરમાં સાધુને બંગાળી ધારી જે ગોટાળો પોલિસ કરે છે તે વખતનું આખું
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy