SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ યુમવીર આચાર્ય હાથ ખંખેરી નાખ્યા પછી તમારું શું ગજું? તૂટીની બૂટી નહિ. તમે તે રાત દિન માટે સેવા કરી. તમને તો ધન્ય છે.” આ આચાર્યશ્રીએ સાંત્વન આપ્યું. તારણહાર! એવા ગુરુ તે ભવોભવ મળજે. તેમને શાંત સ્વભાવ, અમૃત વાણ, શિષ્ય પ્રત્યે અથાગ પ્રેમ, ભણાવવાની સરળ પદ્ધતિ, તપશ્ચર્યા અને કાર્યદક્ષતા બધુંયે યાદ આવે છે.” ચરિત્રનાયક ગુરુને યાદ કરી કહેવા લાગ્યા. વલ્લભ! ઊભું થા! આટલો બધો દુઃખી ન થા. ભાવી ભાવ કોઈ મિથ્યા કરી શકયું છે!” આચાર્યશ્રીએ તેમને પોતાના ચરણ પાસેથી ઉઠાડયા. પ્રભે!હવે આપ મને આપના ચરણથી દૂર ન કરશો.” “ચિન્તા ન કરીશ! બેટા ! તું મારી પાસે જ રહેજે. મારે તારું ઘણું કામ છે. તેને તે મારે ભવિષ્યના મહાન કાર્ય માટે તૈયાર કરે છે. તેની તાલિમ હવે શરુ થશે.” આચાર્યશ્રીએ ભવિષ્ય ભાખ્યું. “દયાનિધિ ! હું તે આપને ચરણકિંકર છું. બાળક છું, અજ્ઞાન છું, મને જ્ઞાન ચક્ષુ આપો. હું આપને સંદેશવાહક બનીશ. આપની આજ્ઞા મારે માટે શિરસાવંઘ હશે.” દિલ્હીથી મુનિમહારાજશ્રી શુભવિજ્યજી મહારાજ તથા મુનિ મહારાજશ્રી મેતીવિજયજી મહારાજ સાથે વિહાર કરતાં કરતાં અંબાલા આવી પહોંચ્યા. ગુરુવિરહને ભાર હૃદય પરથી ખસ્યો નહતે. માર્ગમાં પણ વારંવાર ગુરુવર્ય યાદ આવી જતા અને આંખ ભીની થઈ જતી. કેઈ કઈ વખત
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy