SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પરિસ્થિતિ પાસેશ્રી યવનોને હરતક ચાલી ગઈ ત્યારથી ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં વિકૃતિસૂચક ઊંડું પરિવર્તન થવા લાગ્યું. મુસલમાન બાદશાહોએ પિતાની કઠેર રાજનીતિ અને અસડિયુ વૃત્તિ વડે ભારતની અનુપમ સ્થાપત્યકલા તેમજ વિશિષ્ટ વિપુલ સાહિત્યપર કલ્પનાતીત વાઘાત કર્યો, ને સાથે સાથે ભારતવાસીઓ પર અસહ્ય યાતનાઓ નાંખવા માંડી. કેવળ ઈસ્લામ ધર્મની વૃદ્ધિના જ એકમાત્ર અભિલાષી અત્યાચારી àોએ પિતાની અન્યાયી પ્રવૃત્તિઓને સર્વોપરિ સીમા સુધી પહોંચાડી દીધી હતી. ઈસ્લામ ધર્મને અસ્વીકાર કરનાર આપર નાના પ્રકારના કર લાદવામાં આવ્યા હતા, જેમાં “જજિયા” નામનો કર તો ભારે ભયાનક તેમજ અત્યંત અન્યાયપૂર્ણ હતો. આ કર ન ભરનાર આર્યના પ્રાણ સુદ્ધાં લેવામાં આવતાં. અનેક સ્થળોએ મુસલમાનેએ આર્યોનાં મન્દિર તોડી પાડી એ જગાએ x મજીદે સ્થાપી આર્ય પ્રજાના દિલમાં માર્મિક વેદના પેદા કરી દીધી હતી. જે સાહિત્ય સમાજની પ્રાણ સમું હતું એવા તે સેંકડો વર્ષોથી સંચિત કરેલ પ્રાચીન સાહિત્ય અને ધર્મ–ચંને એટલી મોટી સંખ્યામાં કે જેની સીમા નડિ, સળગાવી, કે કુવામાં ફેંકી નષ્ટ કરી દેવામાં આવ્યા કે જેથી એનું નામ નિશાન પણ ન રહ્યું. સાહિત્ય પ્રેમીઓ સારી રીતે જાણે છે કે એવા સેંકડો ગ્રંશેના અસ્તિત્વના પ્રમાણે મળતા હોવા ઇતા, એ ગ્રન્થ આજે અપ્રાપ્ય છે. આદર્શ અને ઉન્નત શિલ્પકલાના નમુના રૂપ એવા હજારે દેવમન્દિરને તોડી ફેડી છિન્નભિન્ન કરી નાંખ્યાં જેનો * જેના પ્રમાણ રૂપે આજે પણ કેટલીએ મજીદોમાં ખંડિત થાંભલાઓ અને ધ્વસ્ત શિલાલેખો ભીતોમાં લાગેલ જોવાય છે. .
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy