SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસર પોતે કાઢવા ધારેલા સામાન્ય ધર્મની સામગ્રી મેળવવા જૂદા જૂદા ધર્મના વડાઓને બેલાવી તે તે ધર્મના મુખ્ય સિદ્ધાંતા, આચાર, વિધિ વિધાના જાણવા પુષ્કળ પ્રયાસ કર્યાં. એ રીતે હિંદુ, જૈન, પારસી, ખ્રિસ્તી વગેરેના ધાર્મિક સિદ્ધાંત જાણવા તે તે ધર્માંના, અગ્રણી વિદ્યાના આચાર્યને બેલાવી તેમની સાથે પોતે કલાકોના કલાકો ગાળતા. જૈન ધર્મના વડા તે વખતે તપાગચ્છમાં હીરવિજયસૂરિ અને બરતરગચ્છમાં જિનચંદ્રસૂરિ હતા. પહેલાં હીરવિજયસૂરિને આગરા પાસે ફતેપુર (સીકરી) એલાવી સંવત ૧૬૩૯ થી ૧૯૪૨ સુધીમાં તેમને પરિચય સેવ્યો; ને તે સૂરિએ પછી પેાતાના શિષ્યેા શાંતિચંદ્ર, ભાનુચંદ્ર આદિને બાદશાહના નિકટ સમાગમમાં વખતો વખત આવે તેમ રાખ્યા. પછી જિનચંદ્રસૂરિને લાહેાર બેલાવી સ. ૧૬૪૮ ને ત્યાર પછીના વર્ષમાં તેમના સમાગમ સેવ્યે તે સૂરિએ પણ પોતાના પધર શિષ્ય જિનસિંહસૂરિને તેના સમાગભમાં આવે તે માટે રાખ્યા હતા. સ. ૧૯૪૯ માં હીરવિજયસૂરિના પટ્ટધર શિષ્ય વિજયસેનસૂરિને લાહેારમાં બેાલાવ્યા હતા. આ રીતે તપાગચ્છ અને ખતરગચ્છ એમ બન્નેના અગ્રણી વિદ્રાન પાસેથી જૈનધર્મના સિદ્ધાંતે આદિ ક્ષણી અકબર બાદશાહે જીવદયા, જીવવધત્યાગ, અમુક દિવાએ આખા દેશમાં પળાવા જોઈએ એ બાબતનાં, તેમના નીર્ઘાની રક્ષાનાં, તેઓને કોઈ અડચણ ન કરે એ આામતનાં, જિજિયાવે। બધ કરવાનાં વગેરે અનેક ફરમાને કાઢી આપ્યાં, તે પરથી તે ધર્મ ગુરુઓના પ્રભાવ કેટલા બધા અકબર બાદશાડ પર પડયા હતા તેને સારા ખ્યાલ આવી શકે તેમ છે, આ માટે તે બન્ને આચાર્યાં હીરવિજયસૂરિ અને જિનચન્દ્રસૂરિનાં વિસ્તૃત જીવનચિત્રા વાંચવા જેઇએ.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy