SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ અનેક સ્થાનોમાં વિહાર કરવા લાગ્યા. સં. ૧૯૭૧માં મેડતા વાસ્તવ્ય ચોપડા ગેત્રીય શાહ આસકરણે શત્રુંજય મહાતીર્થની યાત્રાર્થે સંઘ કાઢવાનો વિચાર કર્યો ત્યારે એમને પણ વીનતિપત્ર મેકલી સંઘમાં સમ્મિલિત થઈ ગિરિરાજની યાત્રાએ બોલાવ્યા હતા. પોષ સુદી ૧૩ ના રોજ મેડતાથી સંઘે પ્રયાણ કર્યું અને અનુકમે ગુઢા નગર) આવ્યા, ત્યાં બીકાનેરનો વિશાળ સંઘ આબે, તે પણ આ સંઘની સાથે થઈ ગયે. સ્થળે સ્થળે દેવવન્દન પૂજન આદિ કરી આબૂ આદિ તીર્થોની યાત્રાનો લાભ લેતા લેતા ચૈત્રી પૂનમને દિવસે ગિરિરાજ શ્રી સિધ્ધાચલજી પર યુગાદિજિનેશ્વરના દર્શન કર્યા. સંઘપતિ આસકરણને ગચ્છનાયક શ્રીજિનસિંહ એ “સંઘ પતિ પદ અર્પણ કર્યું. ગિરિરાજની યાત્રા કરી સૂરિજી મહારાજ ખંભાત આવ્યા, ત્યાં સ્તંભના પાર્શ્વનાથજીના દર્શન કરી પાટણ, અમદાવાદ થઈ વડલી પધાર્યા, ત્યાં દાદા શ્રીજિદત્તસૂરિજીની ચરણપાદુકાના પુનીત દર્શન કર્યા. ત્યાંથી વિહાર કરી છનાયક શ્રીજિનસિંહસૂરિજી રહી પધાર્યા. ડષ પામી ઉત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવ્યો. ત્યાંના રાજા રાજસિહે એમની ખૂબ ભકિત કરી. ત્યાંથી વિહાર કરી જાહેર પધાર્યા, શ્રીસંઘે સમારે પૂર્વક વાગત કર્યું. ત્યાંથી ખંડપ અને ફુગાડઈ (ધુનાડા) થઈ ઘઘાણી (ગાંગાણી) પધાર્યા ત્યાં પપ્ર આદિ પ્રાચીન જિનમૂતઓના દર્શન કર્યા.+ ત્યાંથી વિહાર કરતા કરતા બીકાનેર પધાર્યા ત્યાં શાહ વાઘમલે એમનો ધૂમધામથી પ્રવેશોત્સવ કરાવ્ય, સં. ૧૬૭૪ ને આ યાત્રા વર્ણનવાળા બે ‘ચંત્યપરિપાટી સ્તવને અમારા સંગ્રહમાં છે. +આ મૂર્તિઓની પ્રાચીનતા આદિની બાબતમાં સમયસુંદરજી કૃત ધંધાણી સ્તવનમાં સારું વર્ણન છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy