SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વાન શિષ્ય સમુદાય ૧૫૭ બનાવવા ભંડારોમાં સ્થાપિત કર્યા. સેંકડો નવા નવા જિનપ્રાસાદે અને જિનબિંબોની પ્રતિષ્ઠાઓ એઓશ્રીના વરદહસ્તે થઈ, ધાર્મિક . શ્રેત્રોમાં કરોડો રૂપિયા વપરાયા. ટૂંકામાં એટલું જ કહેવું બસ થશે કે એમના ચારિત્રના તેજોમય પ્રતાપેજ સમ્રાટ અકબર અને જહાંગીર આદિ મુગ્ધ બની ગયા હતા. અને આકરામાં આકરા કાર્યો પણ સરળતાથી પાર પડતાં હતાં. કહેવાય છે કે અરિજીના આજ્ઞાનુયાયી સાધુસમુદાયની સંખ્યા ૨૦૦૦ થી વધુ હતી. એમણે એટલી મોટી સંખ્યામાં સાધુ સાધ્વીઓને દીક્ષિત કરેલ, કે તેટલા પ્રમાણમાં ભાગ્યેજ અન્ય કઈ આચાર્યોએ કરેલ હશે. સાધુ બન્યા પછી પૂર્વાવસ્થાના નામ પણ્વિર્તન કરી ખરતરગચ્છ માં જે ૮૪ નંદીઓમાંથી નામ સ્થાપના કરવાની પ્રણાલિકા છે, એ ચોરાસીમાંથી ૪૪ નંદિઓમાં x નામસ્થાપના કરવાનું સૌભાગ્ય સૂરિજી મહારાજને પ્રાપ્ત થયું હતું. પ્રત્યેક નદિના ૨૦-૨૫ સાધુએને દીક્ષિત કર્યાનું અનુમાન કરાય તે પણ સૂરિજીના હાથે દીક્ષિત અને ઉપસંપદા ગ્રહણ કરેલ સાધુઓની સંખ્યા એક હજારથી વધારે થાય છે આ વાત કોઈ કલ્પના માત્ર નથી, પરંતુ નરી સાચી હકીકત છે, કેમકે ઉપાધ્યાય શ્રીશમાકલ્યાણજી પોતાની પટ્ટાવલીમાં ખાસ સૂરિજીને ૯૫ શિષ્ય પોતાના હોવાનો ઉલ્લેખ કરે છે. અમે પણ ખૂબ શોધખોળ કરી એમાંના ૨૫-૩૦ શિષ્યોના નામ એકત્ર શ્રાજિનદત્તરિ જ્ઞાન ભંડાર' મુબઈથી પ્રકાશિત પુસ્તક “જિનચન્દ્રસુરિ જીવન ચરિત્ર” પૃ. ૧૧ માં છે. ૪ ૪૪ નંદિના નામ પરિશિષ્ટ(ક)માં “વિકાર પ” ની સ થે છે. આ બાબત કોદળા સ્વતંત્ર લેખ રૂપે તપાસીશું
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy