SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ અકબરનું આમંત્રણ ૭૧ સમસ્ત ગરહી રાજ્યમાં જીવહિંસા બંધ કરવા માટે સૂરિજીએ રાજાને ઉપદેશ દીધે, ત્યારે રાજાએ દરેક પૂર્ણિમાને રોજ જીવહિંસા દૂર કરવા માટે ઉલ્લેષણ કરી, અને બીજી રીતે પણ રાજાએ સૂરિજીની ખૂબ ભક્તિ કરી. પર્યુષણ પછી ત્યાંથી વિહાર કરી સૂરિજી જાવાલિપુર (જાર) પધાર્યા. વન્નાશાહે ઉત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યું. એ સમયે લહેરથી સમ્રાટે બે વ્યક્તિઓ સાથે સૂરિજીને ફરમાન પત્ર મોકલ્યો, જેમાં લખ્યું હતું કે “હમણાં ચાતુર્માસમાં વિહાર કરતાં આપને ભારે કષ્ટ થતું હશે, માટે અત્યંત ઉતાવળ ન કરતાં ચાતુર્માસ પૂરો કરી તરતજ પધારશો, કિન્તુ પાછળથી વિલંબ ન કરશે.” તેથી સૂરિજી કાર્તિક ચૌમાસી સુધી જાલોરમાંજ બિરાજ્યા. ચાતુર્માસ પૂર્ણ થતાં માગસર માસમાં પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તમાં અનેક સાધુઓના પરિવાર સહિત વિહાર કર્યો, એમની સાથે ચતુર્વિધ સંઘ તેમજ શાહી પુરૂષે પણ હતા. વિમલ યશગાન કરવાવાળા ભેજક, ભાટ, ચારણ અને દક્ષ એવા ગાંધર્વ લેકે મૂરિજીના પ્રસ્તાચિત ગુણગાન કરી શ્રીમંત શ્રાવકો પાસેથી સમુચિત પુરસ્કાર પામતા. ગ્રામાનુગ્રામ વિહરતા સૂરિજી દે છર, સરાણ, ભમરાણી, ખાંડપ અને રંગી વગેરે ગામમાં આવ્યાં. વિક્રમપુરના સંઘે દર્શને આવી લ્હાણી કરી ત્યાંથી દ્રણાડા (સંભવતઃ વર્તમાનમાં ધુનડા) નગર પધાર્યા, ત્યાં જેસલમેરને સંઘ દર્શનાર્થે આવ્યો. ત્યાંથી વિહાર કરી રહીઠ નગર પધાર્યા. ત્યાંના શાહ થિરા અને મેરાએ ભારે ઉત્સાહપૂર્વક નગરપ્રવેશ કરાવ્યું, અને ઇચ્છિતદાન દઈ યાચકોને સંતુષ્ટ કર્યા. અહીં જોધપુરને વિશાલ સંઘ દર્શનાર્થે આવ્યો. સૂરિજીના દર્શન કરીને લ્હાણી
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy