SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં મન વિશાળ હોય ત્યાં પછી શું કામ સંતાપ થાય ? રાજા શ્રેણિકને પુત્ર કેણિકે રાજ્યભ્રષ્ટ કરી જેલમાં નખાવ્યા, છતાં શ્રેણિકને પુત્રના કારણે સંતાપ નહોતે થતા. નહિતર તે મનને એમ ખેદ થાત કે “આ અભયકુમારે કયાં દીક્ષા લઈને મને આ નાલાયક પુત્રને પનારે નાખે? પણ ના, અભયકુમારની દીક્ષા પર ખેદ નથી થયે, ઉલટું અનમેદના જ કરી છે કે ધન્ય છે અભયકુમાર, મેઘકુમાર, નંદીષેણ વગેરેને કે જેમણે ચારિત્ર લઈ જનમ સફળ કર્યો, કમભાગી હું કે રાજય અને વિયેની મમતામાં બેસી રહ્યો, ચારિત્ર લીધું નહિ, ને જનમ એળે જઈ રહ્યો છે! તેમજ આ જેલનાં દુઃખ સહવાનું અકામનિર્જરામાં તણાઈ રહ્યું છે ! ચારિત્ર હોત તે એ ઉપસર્ગ માની આનદથી વધાવીને સકામનિર્જરા કમાવવાની થાત.” શું ? રાજા શ્રેણિકના વિશાળ મનની આ ઉદાર વિચારધારા અને સકામનિર્જરા–અકામનિર્જરાનો ભેદ જેવા જેવા છે. દુઃખ તે તમને ય આવે, ને જરૂર પડ્યે સાધુને ય આવે. તમારે ય પાળેલે–પોષેલે ને સારો તૈયાર કરેલ દીકરો આડે ફાટે ને દુઃખ આપે, તેમ સાધુને ય સારી મહેનત લઈ વિરાગી બનાવેલે દીક્ષિત કરેલે ને શાસ્ત્રો ભણાવી-ગણાવી તૈયાર કરેલે શિષ્ય કદાચ માનપાનાદિમાં પડી આડે ફાટે, ને સાધુને દુઃખ આપે. પરંતુ તમારે અજ્ઞાનતાથી હાય કરી એ સહન કરવામાં અકામનિર્જર થાય, ત્યારે સાધુ આને એક ઉપસર્ગ સહવાને આવ્યા માની વિશાળ મનથી સહર્ષ સહન કરી લે એમાં એને
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy