SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ પ્ર-પણ દીકરા તરફથી આશા તે રહે ને કે એ આપણું લીલું વાળે? આપણું માન રાખે ? ઉ૦–ત્યારે વાત જ આ છે કે આવી આશા રાખી પછી એ આડિયા પુત્ર તરફથી ફળતી નથી સંતાપ થાય છે. એટલે સંતાપ દીકરાના કારણે નહિ, એની આડાઈના કારણે નહિ, પણ આપણી આશા-અપેક્ષાના લીધે થાય છે. આપણને આ આશા રહે છે એ સ્વાર્થ છે. સ્વાર્થની આશા છે એ ન પૂરના પુત્ર આપણા મનને સહન થતો નથી. મનમાં એના પર દ્વેષ થાય છે. શ્રેષના કારણે સંતાપ થાય છે. તે હવે બોલે, સ્વાર્થ લાલસા-દ્વેષ-અસૂયાવાળું મન એ સાંકડું ? કે વિશાળ? વિશાળ આવા મનને ન કહેવાય, વિશાળ મન તો નિ:સ્વાર્થ, પરગજુ, સહિષ્ણુ, ક્ષમાશીલ દયાભર્યું ઉદારતાભર્યું હોય એવા મનને કહેવાય. એવું વિશાળ મન હોય તે કોઈ સંતાપ નહિ. એનાં બદલે મન સ્વાર્થવશ સાંકડું હોય તો કેઈ સંતાપ જિંદગીભર ચાલ્યા કરે છે. વિચારીશું તે દેખાશે કે જીવનમાં ઠેઠ અંત સુધી કોઈને કોઈ સંતાપ ચાલ્યા કરતું હોય, તો એની પાછળ કારણભૂત આપણું સાંકડું -સંકુચિત મન છે. બાહ્ય દુઃખ તે નિમિત્તમાત્ર છે પણ મૂળભૂત કારણ નહિ; કેમકે દેખાય છે, વિશાળ દિલવાળા ભાગ્યવાનને દુઃખ છતાં સંતાપ નથી થતા. શ્રી મહાવીર પ્રભુ પર સંગમ દેવતા શૂલપાણીયક્ષ, ગેવાળિયા, ચંડકૌશિક વગેરે તરફથી દુઃખની ઝડી વરસી, છતાં પ્રભુના મનને લેશ સંતાપ નહેાતે; કેમકે મન વિશાળ હતું. સંતાપ સાંકડા મનને લીધે થાય છે, પણ
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy