SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ આ મહાકિંમતી સત્સંગ કયાં મળે? અહીં જ્યારે અણધાર્યું આવવાનું બન્યું છે, તે એ સારા માટે. હાલ અહીં મહિને માસ સત્સંગ અને શાન્તિ માટે રહેવું છે. તેથી તમે બધા અહીં જ પડાવ નાખે.” બસ, રાજાનો આદેશ થયો એટલી જ વાર. સેનાએ ત્યાં છાવણી જમાવી દીધી. રાજા રહે છે અને મોટો ભાગ વિભૂતિ ષિની ઉપાસના કરે છે. એમની પાસે બેસી તત્ત્વની ગેડી કરે છે. દિનપ્રતિદિન રાજાની શુભ ભાવના વધતી ચાલે છે. સત્સંગ અને સત શ્રવણનો આ પ્રતાપ છે કે માણસનાં દિલને ફેરવી નાખે; અસદ્ વિકલપો અને વિચારથી બચાવી દિલમાં શુભ ભાવનાઓ ફુરાયમાન કરી દે. દેરાસર–નિમણ કનકરથ રાજપુત્રને વૃદ્ધ તાપસ કહે છે કે પેલો હરિપેણ રાજા વેવભૂતિ તાપસના આશ્રમ પાસે, પોતાના લશ્કરની છાવણ નખાવીને રહ્યો છે, અને એક મહિને કુલપતિ તાપસની ઉપાસના કરે છે; સારું શ્રવણ કરી કરીને પોતાના દિલને એનાથી ભાવિત કરતું જાય છે, ત્યાં એણે સારી દષ્ટિ ઊભી કરી; એને પરમાત્મા પ્રત્યે ભારે રાગ ઊભો થયે; ને તેથી એણે આ દેરાસર બંધાવ્યું. ગુરુ પરમગુરૂને મેળવી આપે. તાપસે પરમગુરુ પરમાત્માના કેવા ગુણ ગાયા હશે અને રાજાએ એ કેવા ઝીલ્યા હશે કે એણે ખૂબ ભાવથી જિનમંદિર બંધાવ્યું ! રાજાએ એક માસ ઉપાસના કર્યા પછી હવે કુલપતિ પાસે જવાની રજા માગે છે. એ કહે
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy