SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ અનાસક્ત ભાવને શું સમજે છે ? એ જીવને વીતરાગભાવ પર પહોંચાડે. વીતરાગભાવ પ્રગટ થાય એટલે તરતમાં જ કેવળજ્ઞાન પ્રગટ થઈ જાય. તે બોલે, વીતરાગભાવ અને કેવળજ્ઞાન સુધી કેણ પહોંચાડે ? સમાધિ કે અસમાધિ ? ચિત્તની સ્વસ્થતા કે આકુળવ્યાકુળતા ? કહેવું જ પડે કે સમાધિ ચાને ચિત્તની સ્વસ્થતા જ ઠેઠ વીતરાગભાવ સુધી લઈ જાય. ત્યારે મહાન આત્માઓ જે મનને દુષ્કનાં ભારે દુઃખ લગાડવા પર વીતરાગ બની કેવળજ્ઞાન પામ્યા છે, તે એ મનને થતું દુષ્કત્યનું ભારે દુખ એ સમાધિ જ છે. સાવી મૃગાવતીજીને ગુરણ ચંદનબાળાએ ઠપકો આપે કે “તમારા જેવા કુલીન આત્માએ સમવસરણમાંથી આમ મોડા આવવું એ ઠીક નહિ ” બસ ગુર વચન પર મૃગાવતીજીને આ પિતાનું મેડું આવવાનું એ પિતાનો પ્રસાદ લાગે, દુકૃત્ય લાગ્યું, પણ બચાવ ન કર્યો કે “અમે ક્યાં ભટકવા ગયા હતા? ગયા હતા તે પ્રભુની પાસે ને? ત્યાંથી સીધા સીધા બીજે કયાંય ગયા વિના અહીં ચાલી આવ્યા. જરા મેડા પડ્યા, તે બહુ અનુચિત કરી નાખ્યું ? ના, આવો કોઈ જ બચાવ નહિ, પણ એ ખરેખર અનુચિત જ સમજ્યા, દુકૃત્ય જ માન્યું, અને તરત ગુરુના પગમાં માથું મૂકી કકળતા દિલે કહે છે “ભગવતી ! ક્ષમા કરો, આ મારી ભૂલ થઈ મિચ્છા મિ દુકકડ. ફરીથી આવી ભૂલ નહિ કરવા ધ્યાન રાખીશ.” કેવો ધન્ય આમા ! ગુરુણી તે પછી સંથારો કરી ગયા, પરંતુ મૃગાવતી
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy