SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ આરાધના કરવાની અવસરે અવસરે પ્રેરણા કરી શકાય અને એ આરાધના કરવા લાગે, એથી પ્રભુની અને શાસનની બેલબાલા થાય. (૩) એમ ઉપાશ્રયના સાધારણમાં ભરતી કરી હોય, તે ઉપાશ્રયમાં રોનકદાર પૂર્વ પુરુષોનાં ચિત્રોથી ઝગમગતે થાય; એમાં ધર્મોપકરણોની મજેની સગવડ હોય, ઉપાશ્રયમાં આરાધના કરવા આવનારને સુંદર પ્રભાવના અપાતી થાય, વગેરે વગેરે દ્વારા ઉપાશ્રયમાં આવનારા વધે, આરાધનારા વધે, એથી પ્રભુશાસનની વાહવાહ થાય. એ આરાધકે પછી સારી જિનભક્તિ કરે એથી પ્રભુની વાડવાહ થાય. સારંશ, જે ક્ષેત્ર સીદાતાં હોય એમાં સારું દેવાથી શાસનને જયજયકાર થાય, પ્રભુને જયજયકાર થાય. પરંતુ જે એના બદલે એકલે દેવદ્રવ્યમાં જ દેવાનો ને મંદિરના ભંડારમાં જ નાખવાને આગ્રહ રાખ્યું હોય તો આજે દેખાય છે ને કે સાધારણના તેટા, મંદિરમાં મુફલીસ દૂધ-કેશર, આરાધકેની ઓછાશ, વગેરે વગેરે કેવું ચાલી પડ્યું છે? અરે મંદિરમાં દેવદ્રવ્યના પૈસા હોય છતાં શિખર કાળા, ભીત ઝાંખી, થાંભલા ફિકકા ! પ્રભુજીને આંગી નહિ, પ્રભુની આગળ રાજશાહી દરબારની સજાવટ નહિ ! છતે પૈસે આમ કેમ? કહો. મનમાં બેઠું છે કે પૈસા ખરચાઈ જાય તો પછી વહીવટદારે વહીવટ શાને કરવાને?” નહિતર જે પૈસા ખરચતા રહેવું હોય તે દેરાસર હંમેશા અંદરથી અને બહારથી ચાટલા જેવા રખાય, પ્રભુજીની અનેક ચાંદીના ખોખા પર જુદી જુદી ફેશનની મીનાકાર થી કે ટીકાથી યા જડાવથી આંગીઓ ૧૪
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy