SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ વીતરાગ ભગવાનના જે ચરણ પકડયાં, તો આવાં કર્મ બાંધવાનું હોય નહિ. એમણે એવા પ્રલેભક સગમાં પણ જે વીતરાગ ભગવાનને હદય સામે રાખી એમની વીતરાગતાને પિતાના આદર્શ તરીકે, પિતાને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ તરીકે મનમાં જોરદાર પકડી રાખી હતી, તે એવાં કમ બાંધીને પતન પામવાનું શાનું ઊભું થાત? પરંતુ વિષયલંપટતા ભુંડી, મહાદુષ્ટ, કારમી. ચડેલાને ય પાડે, તે પછી પૂર્વના અનંત કાળમાં ક્યા ચડવાનું કર્યું જ નથી ત્યાં પતનનું પૂછવું જ શું? કર્મસત્તા જાણે વિષયલંપટ ધમીને કહે છે,-ધર્મના કષ્ટ કર્યા છે ને? તે એને માલ પુણ્યાઈ એકવાર ભેળવી લે, પણ પછી તારી મૂળભૂત વિષયલંપટતાની દુષ્ટતાનાં ભયંકર ફળરૂપે નરકાદિ ગતિએનાં ભ્રમણ માટે યિાર રહેજે.” ધર્મ ન બચાવે? બચાવે, વીતરાગ ભગવાન નાં ચરણ પકડી રાખો તો બચાવે. ધર્મ કરતી વખતે ઉશ તરીકે પિતાને વિષયરાગ અને માનાદિ કષાય-આવેશની દુષ્ટતા ટાળી ઠેઠ વીતરાગતા પ્રાપ્ત કરવાને રાખે છે, તે એ ધર્મ અહીંથી જ બચાવવા માંડે. પૂછે – ધર્મથી અહીં બચાવશે? અહીં બચાવ આ, કે ધર્મસેવનના કાળમાં તે વીતરાગ અને એમની વીતરાગતા નજર સામે છે જ, પરંતુ ધર્મસેવન પૂરું થયા પછી દુનિયાદારીમાં પડ્યા ત્યાં પણ વીતરાગતાની મિઠાશ મન પર આવ્યા કરે, વેરાગ્ય જાગતે રહે. એટલે
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy