SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ છે. બન્ડારની લપ, જડ પુદ્ગલની લપ ઓછી કરે તો જ એના વિચારે મગજને ઘેરી વળ્યા ન રહે અને મનમાં ભગવાનને આવવાને અવકાશ રહે; નહિતર બહારની બહુ લપમાં તે ભગવાનને ભૂલવાનું બહુ થાય છે. કુમાર પાછા નગરમાં -- રાજકુમાર કનકના મનમાં એવી બહુ લપ નથી, કેમકે એવી વિષયલંપટતા નથી, તેથી એક વિદત્તાથી સંતોષ માની બીજી રાજકન્યા રુકિમણીને પરણવા જવાનું માંડી વાળે છે. સામેથી કન્યાના પિતાને આગડ ભરે છે, છતાં હવે એ વાત નહિ, તેથી હવે પાછા વળી અવિરત પ્રયાણથી કુમાર પિતાના નગરમાં પહોંચી જાય છે. એના પિતાને સમાચાર મળ્યાથી કુમારનો પ્રવેશ બહુ ઠાઠથી કરાવે છે. કનકરથ અને કાયદત્તા મહેલમાં પહોંચી જ ન માતાપિતાના પગમાં પડી નમસ્કાર કરે છે. એ પણ પ્રસન્ન થઈ એમને દીઘાયુષ્ય અને સુખ સંપત્તિના આશીર્વાદ આપે છે. પ્રવર્તે શું પિતાએ પૂછયું નહિ કે આ તું રુકિમણુને બદલે બીજી કેમ લઈ આવ્યા ? કે પિતાને ખબર જ ન પડી? ઉ–ખબર તે પડી, પરંતુ પિતાની ઈછા તો માત્ર એટલી જ હતી કે કુમાર લગ્ન કરે, પરિણીત જીવનમાં આવી જાય, પછી રુકિમણીને પરણી લાવે કે વિદત્તાને, એમાં કોઈ આગ્રહ નથી. વળી મોટી ઉંમરના છોકરાને, તેને આવા રાજકુળમાં સુંદર કેળવણી પામેલાને વિશેષ કહેવાનું શાનું હોય ? સમજદાર સાથે મુખ્ય બાબતની જ ચર્ચા કરવાની હોય. ગૌણુ નાની-નાની બાબતની નહિ.
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy