SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ કરે, એના પર બહુ મન ન લઈ જાઓ, એની બહુ પ્રવૃત્તિ ન કરે; દા. ત. (૧) “આ શું છે? પેલું કોણ ગયું ? ઓલે શું બોલે છે ” આમ આડાઅવળા ડાફોળિયાં ને જે-તેમાં મન ઘાલવાનું, તેમજ એવા મફતિયા નિષ્ફળ વિકલ્પ કરવાનું બંધ કરો. (૨) દુન્યવી જે કામ કરવા જરૂરી છે, એમાં પણ એને બહુ બહુ ઠીકઠાક કરવાનું અપ-ટુ-ડેટ બનાવવા ભારે મથવાનું, જરાક વાંકાચૂંકામાં આકુળ-વ્યાકુળ થઈ એને સુધારવાની ચિંતા કર્યા વગર કરવાનું, અને એને સરખું કર્યા વિના નહિ જપવાનું....વગેરે બંધ કરે. (૩) થોડી ઘણી ત્યાગવૃત્તિ ઊભી રાખે, ત્યાગના નિયમ રાખે, જેથી પુદ્ગલની બહુ લપ ન કરવી પડે. (૪) જીવનમાં સહન કરી લેવાની વૃત્તિ કેળવે, જેથી અણગમતું-બિનમાફક સહર્ષ ચલાવી લેવાય અને એને ટાળી દેવાની મથામણમાં ન પડાય; એમ ગમતું મળતું જતું ન રહે એ લક્ષમાં એને બહુ સાચવવા કરવાની ગડમથલમાં ઉતરાય નહિ. આમ, (૧) ડાફોળિયાં ને નિષ્ફળ વિકપે બંધ (૨) જરૂરીમાં બહુ ઠીકઠાકની મથામણ બંધ; (૩) ત્યાગના નિયમો ને ત્યાગવૃત્તિ, (૪) સહન કરવાની વૃત્તિ ને ટેવ રાખવી. આવા આવા ઉપાય અજમાવતા રહેવાથી બહારની બાબતેની લપ ઓછી થાય. એના પર જ ધર્મનું આરાધન કરતી વખતે બીજા ત્રીજા વિચાર અટકે એમ કર, આ કરવાની બહુ જરૂર
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy