SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૫ રાજા હરિષણને રાણીને ખુલાસે સાંભળીને પિતાને તે સંતોષ થયો. પરંતુ બીજા તાપને દરેકને શી રીતે ખુલાસે કરવા જાય કે આ તે પૂર્વના સંસારી જીવનનું પરિણામ છે, પણ તપોવનના જીવનમાં કશે આચારભંગ નથી થયે? આવો ખુલાસે દરેકને કરી શકાતું નથી, અને મનને વસવસો રહે છે કે “આ બધા તાપસના મનને શંકા રહેતી હોય, તેથી હવે બધાની નજરમાં માં શી રીતે બતાવવું ?” વિચાર કેવા કરવા ? જીવનમાં કેટલીક વાર આવી સમસ્યા ઊભી થાય છે કે આપણે સાચા સારા હોઈએ છતાં હકીક્ત એવી ઊભી થઈ હોય કે જેથી બીજાઓને આપણા માટે હલકી કલ્પના થતી હોય, અને આપણે સાચી વસ્તુને ખુલાસો ન કરી શક્તા હોઈએ;” ત્યારે મુંઝવણ થાય કે મનની સમાધિ શી રીતે રાખવ? ત્યાં સમાધિ માટે કમસત્તાનું તત્ત્વ આવીને ઊભું રહે છે. આપણે વિચારવું રહ્યું કે, આપણાં અશુભ કર્મ વિના શિષ્ટ જનમાં આપણી હલકાઈ થાય નહિ. આપણે સારા છતાં સાચા છતાં આપણું હલકાઈ કણ કરાવે છે ? આપણાં અશુભ કર્મના ઉદય. એ અશુભ ક્યાંથી ઊભા થયા? પૂર્વજીવનમાં આપણે મહાપુરુષોના જીવન પ્રસંગેના વિચાર, ઉમદા વિચાર, દા. ત. માનસારીના ૩૫ ગુણ, સમકિતના ૬૭ ગુણ, મહાવીર પ્રભુના ર૭ ભવ, અનિત્યાદિ ૧૨ ભાવનાઓ...વગેરેના કમસર વિચારેને ભૂલ, પરની હલકાઈના કે જાતની વડાઈના વિચાર કરવા બેઠેલા, અને વાણુમાં એ ઉતારેલા, તેથી એવાં અશુભ
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy