SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ખરેખર આવી બૂરી દશામાં જાણે કુદરતે એમને પોકાર સાંભળ્યું હોય તેમ આ “મહાસતી નષિદરા અને એક અમૃત કટરે ધારણ કરીને એક દિવ્ય વિભૂતિ આપણી સમક્ષ ઉપસ્થિત થઈ છે. એની આંખમાં જ નહીં - મેરેમમાં ભરપૂર કરુણાને વાસ છે – એની વાણમાંથી માત્ર શબ્દો નહીં સાક્ષાત્ હદયને ઠારનારી શીતળ જળની વર્ષા થઈ છે. એક હાથમાં અમૃતનો કટોરો લઈ એ દિવ્ય વિભૂતિ સંસારનાં ત્રિવિધ તાપથી અકળાઈ ઊઠેલા આત્માઓ ઉપર અમીસિંચન કરી રહી છે અને હજાર આત્માઓનું હૈયુ એનાથી કર્યું છે, કેમળ બન્યું છે અને શીલની દિવ્ય સુગંધથી સુરાસિત બન્યું છે. જીવનનાં અંધારા ખૂણાઓમાં દિવ્ય પ્રકાશ પથરાયે છે, અજ્ઞાન અને મેડનું તિમિર ઓગળી ગયું છે એ દિવ્ય વિભૂતિનાં પવિત્ર પારસ સ્પર્શથી અને કોનું લેહમય જીવન સુવર્ણમયતેજસ્વી બન્યું છે. પ્રાતઃકાલીન પ્રતિકમણમાં બેલાતા “ભરફેસરબાહુબલી સૂત્રમાં જ મહાપુરુષો અને મહાસતીઓનાં પવિત્ર નામનું રટણ કરીએ છીએ–એમાં “રાઈમઈ રિસીદતા પદમાં આ મહાસતી નષિદત્તાને પણ ભાવભીની અંજલિ આપીએ. ભૂતકાળમાં ડોકીયું કરીએ તે સહેજે જણાશે–આ મહાસતીનાં જીવન ચરિત્રનું અનેક ત્રાષિપંગોએ ભવ્ય અને કૃતિ. રમ્ય આલેખન કર્યું છે. પ્રાકૃત-સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ગદ્ય-પદ્ય ઉભયરૂપે પચ્ચીશથી વધુ નાની મોટી કૃતિઓ જૈન જ્ઞાનભંડારોની શેભામાં વધારો કરી રહી છે. એમાંની ઘણી તે મુદ્રિત પણ થઈ ચૂકી છે. મહાસતી ત્રષિદત્તાનું જીવન ચરિત્ર
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy