SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સુરેન્દ્રદત્ત અને રાજપુત્ર ૩૫ લાલી લાગે છે. મને છેતરીને સેાનામહેારા લઇ ગયેા છે. હવે વધુ છેતરાવું નથી. મારું પૂર્વભવનુ દેણું હશે તે ચૂકતે થઇ ગયું માનીરા, આગળ જતાં શ્રીપુરનગર આવ્યું. નગરની બહાર ડેરાતંબુ નાખી પડાવ કર્યાં અને સાથે આવેલા સ માણસેાને આરામ કરવા જણાવ્યુ. સાથે આવેલ પેલે। બ્રાહ્મણ વરરૂચિ આ નગરમાં પાતાનુ ઘર હોઇને ત્યાં ચાલ્યે ગયે અને કહેતા ગયા કે તું મારા મિત્ર છે. એટલે સ કટ સમયે મને જરૂર સંભાળજે. આપણી મિત્રતાની યાદગીરી રૂપે હું તને આ યવે આપુ છું તે વીકારી લે. તેમજ જાણી લે કે આ યવે મોઢારા પવિત્ર થયેલાં છે. જેથી વાવીને જલનુ સિંચન કરીશ કે તરતજ ઊગી નીકળશે પરંતુ આ વિષે તારે કાઇને પણ વાત કરવી નહિ. બ્રાહ્મણને વિદાય કરી ધ દત્ત આ યવા પેાતાની પત્નિને મૂકવા આપ્યાં. ત્યારબાદ નિત્યક્રિયા પતાવી આ શ્રેષ્ઠિપુત્ર ધદત્ત નજરાણું લઇ હર્ષોંથી રાજદરખારમાં ગયા. છડીદારે રાજવીને જાણ કરી કે હે સ્વામી ! કાઇ પરદેશી શ્રેષ્ઠિ ભેટગુ લઇને આપને મળવા માટે બહાર ઉભે છે. રાજાએ દર આરમાં પ્રેમપૂર્વક એલાવી માન આપ્યુ. શ્રેષ્ઠિએ નજરા ણાના થાળ રાજાના પગમાં મૂકયા અને પેાતાના આસને બેઠો. અન્ને વચ્ચે સારા એવા વાર્તાલાપ થયે! શ્રેષ્ઠિની મીઠી વાણી સાંભળી રાજા બહુ ખુશ થયા અને લાવેલા માલનું દાણુ (જકાત) માફ કરી અને કહ્યુ કે હે શ્રેષ્ઠિ,
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy