SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શીયળનું તેજ ૨૨૯ માફક પીગળી જાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે પરપુરૂષ તે બાજુએ રહ્યો પરંતુ યુવાન પિતા કે ભાઈ કે પુત્ર સાથે કુલીન સ્ત્રીઓએ એકાંતમાં રહેવું જોખમ કારક છે. એક બાજુ કુલીનની મર્યાદા તેને ઉપર સેમભૂતિ પાસે જતાં અટકાવતી હતી ત્યારે બીજી બાજુ પ્રિયતમ પ્રત્યેને પ્રેમ-તેમના સમાચાર જાણવાની તીવ્ર ઉત્કંઠા ઉપર જવા માટે પ્રેરતી. છેલ્લે દ્રઢ મનોબળ વાળી શીલવતી સમજી કે મને ઈદ્રને પણ ભય નથી એમ વિચારતી તે શીલવતી સોમભૂતિ પાસે ઉપરને માળે પતિને પત્ર અને સમાચાર મેળવવા ગઈ. ઉપર જઈને જોયું તે તે બ્રાહ્મણ પથારીમાં અજગરની પેઠે આળોટતે હતે. શીલવતીને આવતી જોઈ એટલે તે પથારીમાં બેઠે થ. શીલવતીએ કહ્યું હે ભદ્ર! આપ આવ્યા છે એવા સમાચાર મલ્યા એટલે તરતજ હું મારા સ્વામીના ખબર અંતર પૂછવા આવી છું. મારા સ્વામી કુશળતે છે ને? તેમજ કેઇપત્ર મોકલાવ્યું હોય તે તે લેવા માટે આવી છું. ત્યારે તે બ્રાહ્મણ છે. હું ક્ષેમકુશળતા પૂર્વક આવી ગયે હું તારા પતિદેવ પણ ક્ષેમકુશળ છે. હાલમાં વેપારમાં અને ધન ઉપાર્જન કરવામાં પડ્યા છે એટલે થોડા સમય પછી તેમાં આવશે. તેમણે પિતાના હાથે લખીને પત્ર આપ્યું છે અને એક આભુષણ મોકલાવ્યું છે. તે હું તમારા ઘર આપવા આવવાને જ હતે. આ વાતચીત દરમ્યાન સેમભૂતિની નજર શીલવતીના શરીર ઉપરજ ફર્યા કરતી હતી. મનમાં વિચારે છે કે
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy