SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ઘર્મી-ધમ્મિલકુમાર જરૂરી છે. તે સુખ ઉપર રાગ અને દુઃખ ઊપર દ્વેષ એ ઘાતિકર્મને તુષ્ટિ પુષ્ટ આવ્યા સિવાય રહે નહિ. તેના કારણે કેવળ જ્ઞાન દૂર થાય. કેવળ જ્ઞાનની પ્રાપ્તિમાં ઘાતકર્મ પ્રતિબંધક છે. તે ભવ્યાત્માઓ ઘાતિને તેડવા માટે વર૫ દિશામાં આવી પ્રયત્ન કરે છે. જેથી નિર્મળ ચારિત્રની આરાધનાને અનુપમ આનંદ મેળવી રહ્યા છે. સાધનાના જીવનમાં સફળતા મેળવવા માટેનું સૂત્ર સમજીશું. પાપના કોને વિલંબમાં મૂકે...ધર્મના કાર્ય હાજરમાં પતાવ . પાપના કાર્યમાં વિલંબ કરવાથી અનાદિને પાપ સરકારની તાકાત તુટતી જશે. (૨) ધર્મ કાર્યો તરત કરવાથી આત્માને ધર્મ કાર્ય પ્રત્યે રસ જાગશે. એ ઉત્તરોત્તર ધર્મકાર્યની વૃદ્ધિ જ કરાવશે; ધર્મકાર્યમાં સમય વહી જાય તે પાપ કાર્ય માટે સમય ન મળે, અરે પાપ કાર્યની વિચારણા કરવાને પણ સમય નહિં મળે? આમ નિર્મળ ચારિત્ર્ય પછી જપ અને તપથી જન્માં તરના પણ કમેને ધેાઈ શાંત ચિત્તે સમાધિ પૂર્વક મૃત્યુ પામી દેવકમાં ગયાં. ત્યાંથી ભવિષ્યમાં ઉત્તમ કુળમાં જન્મ પામી ચારિત્ર્ય અંગીકાર કરી મેક્ષ રમણીને વરશે. ૦ ધર્મ, શાતિ-સુખદાતા છે. ૦ ધમ, ભક્ત, જ્ઞાનીઓને પ્રાણ છે ધમ વડે નિર્દોષ પ્રેમ ટકે છે. ૦ ધર્મ, જગતનું શાશ્વત તત્ત્વ છે. ૦ ધર્મમાં સ્વ–પર કલ્યાણ સમાયેલું છે.
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy