SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જે વધારવામાં આવે છે તે શેભા કયાં સુધી, તેના વર્ત. માન તથા ભાવિ પરિણામને વિચાર કરવાની તક મલતી નથી, મેળવતા નથી. તેમાં મુખ્ય કારણ સમજાય છે કે દેહને કેમે કરીને સુંદર સુશોભિત બનાવ એ નિર્ણયને ભાવિ પરિણામને વિચાર નથી કર્યો. જમાનાવાદને અનુસરનારા પાપના માર્ગને, હિંસાને, હિંસક પ્રવૃત્તિને. હિંસાથી સર્જાયેલી સામગ્રીને જે ઉપભોગ કરે છે તે આત્માઓ અહિંસા પ્રધાન એવા તારકના ધર્મને સમજ્યા નથી. માટે જ ધર્મ વિમુખ છે. ફેશન પરાયણુતાની વૃત્તિ વધારે આકાર લઈ રહી છે. હિંસાત્મક વસ્તુઓની વપરાશ જમાનાના નામે કુદકે ને ભૂસકે વધી રહી છે, આપણે ઘણી ઘણું બહેનોને ખબર તે હશે કે “જે પર્સ, ચંપલ વિ. સુંવાળા જ ગમે તેની પાછળ કેટલાંય મૂંગા પ્રાણીઓની ભીષણ કલેઆમ થાય છે. (મનુષ્ય) વ્યક્તિ હિંસા, અહિંસાને જાણી શકે તો જ હિંસાને ત્યાગ કરી અહિંસાનો આરાધક બની મોક્ષ માર્ગનો આરાધક બને. આ વર્તમાનમાં દેહની સુખ સગવડો કરતાં એક ભયંકર અજ્ઞાનતા પરાકાષ્ટા પર પહોંચી રહી જે છે તે ફક્ત શરીરની ટાપટીપતા. - સવારમાં પથારીમાંથી ઉઠતાં આમાને ભૂલી જઈ, પરમાત્માને ભૂલીને અરીસા સામે ઉભા રહી કેહની શેભા જવા માંડશે. આપણાં પાદિયાના પાપે ધર્મ પ્રવૃત્તિ, ધર્મ પ્રવર્તક ગુરૂનો ઉપદેશ આપણી સમક્ષ ધરવા છતાં આપણે
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy