SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ હાથના કર્યા હૈયે વાગ્યાં ૧૨૧ મુનિએ ધર્મલાભ કહ્યો અને કહ્યું- હે ધમ્મિલ ! આ સંસારમાં લકમી મેળવવી સહેલ છે. અત્યંત સ્વરૂપવાન સ્ત્રી મેળવવી સહેલ છે. હાથી-ઘડા, બંગલા અને વાહને મેળવવા સહેલ છે. પરંતુ સંસારરૂપી સમુદ્ર તારના ધર્મ મેળવવું અત્યંત કઠીન છે. ધર્મ તો ચિંતામણી રત્ન જે છે. અને ભયંકર કર્મોને પણ નાશ કરવા સમર્થ છે. ગુરૂની આજ્ઞા મુજબ જે ધર્મનું આરાધન કરવામાં આવે તે સર્વ સ્વની પ્રાપ્તિ થાય છે. પરંતુ વિષયે માનવીને ચલીત કરવામાં અને ભાવ ભજવે છે. કાચા હદયના માનવીઓ મોહને વશ થઈને સંસારરૂપી ચકમાં ભમ્યા જ કરે છે. જૈન ધર્મ પામ્યા છતાં જે ધર્મ કરતાં નથી તેઓ ચિંતામણી રત્ન ગુમાવી બેસે છે. અંધકાર ભર્યા ઓરડામાં દીવાને પ્રકાશ વસ્તુઓને જણાવે છે. તેમ જ્ઞાન થતાં વસ્તુનું સ્વરૂપ યથાર્થ પણે સમજાય છે. આચરણ કમે કમે આવે છે. જેથી પદાર્થો પ્રત્યે વિકારીભાવે ઊઠતા નથી. પ્રાણી માત્રામાં આત્માની પ્રતીતિ થવી. સૌ પ્રત્યે આત્મભાવ રહે, અને શુદ્ધ ભાવમાં ટકવું એ વસ્તુનું-તવનું યથાર્થ સ્વરૂપ છે. જ્યાં જ્યાં અન્ય વિકલ્પ કે કલ્પના થાય તે અન્ય ભાવ છે. કેમ વડે ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. પ્રતીતિમાં આવે છે, અનુભવાય છે. તેવું પરમ સમતા રૂપ એ સ્વરૂપ છે તેમાં જ સાચું સુખ છે. ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશેધનથી મળવાની નથી. અપૂર્વ સંશોધનથી તે પ્રાપ્ત
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy