SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧ સામાયિક –અનેરી યોગસાધના જ જંપ્યા હતા. મહાપુરુષો જે કાર્ય હાથ ધરે છે, તે પૂરું કર્યા વિના રહેતા નથી. સાધનાકાળ દરમિયાન ભગવાન મહાવીરે પોતાના સર્વ અંતરશત્રુઓ પર જ્ય મેળવ્યો, એટલે તેઓ “જિન” કહેવાયા. પરમ પવિત્ર જીવનને લીધે સર્વ લેકમાં પૂજાયા, એટલે અહંતુ ” તરીકે ઓળખાયા અને લોકેને તારવા માટે તેમણે ધર્મરૂપી તીર્થની સ્થાપના કરી, એટલે “તીર્થકર” તરીકે વિખ્યાત થયા. ભગવાન મહાવીર મહાન યેગી છે, સર્વજ્ઞ અને સર્વદશી છે, એવું જાણીને હજારો લોકેએ વર્ણ કે ન્યાતજાતના ભેદ વિના તેમનું શરણ સ્વીકાર્યું. તે સર્વે ને તેમણે સામાયિની દીક્ષા આપી અને તેની પુષ્ટિ માટે પાંચ મહાવ્રત ધારણ કરાવ્યાં. આ રીતે તેમની છત્રછાયા અને માર્ગદર્શન નીચે ગાભ્યાસીઓનું–ગીઓનું એક મહાવૃંદ તૈયાર થયું, તેના તેઓ સ્વામી બન્યા. આ રીતે ભગવાન મહાવીરે સામાયિકોગની સાધના સ્વીકારી હતી, તેમાં નિપુણતા–સિદ્ધિ મેળવી હતી અને અનેકને તેનું માર્ગદર્શન આપ્યું હતું, એટલે તેમને અપાચેલું ગીશ્વર વિશેષણ યથાર્થ છે. જે ધર્મના વીશે તીર્થકરો-ધર્મ પ્રવર્તકે ગીશ્વર હોય, તે ધર્મમાં અને કેવું અને કેટલું મહત્વનું સ્થાન અપાયું હોય ? તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. જેનાચાર્યોએ ગિવિષયક અનેક ગ્રંથો લખ્યા છે, એ પણ જૈન ધર્મની
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy