SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક-વિજ્ઞાન વિશાલતા આવી છે. વળી દરેક ગ્રંથરચનાને પિતાનું ખાસ દષ્ટિબિંદુ હોય છે, એટલે આ ગ્રંથની રચના તેના ખાસ દષ્ટિબિંદુઓને અનુસરીને થયેલી છે અને એ રીતે તેના સર્જનમાં અભિનવતા આવેલી છે. પ્રશ્ન–આ ગ્રંથરચનાનું ખાસ દષ્ટિબિંદુ શું છે? ઉત્તર–અધ્યાત્મ અને રોગની દૃષ્ટિએ સામાયિકનું નિરીક્ષણ-પરીક્ષણ કરીને સરલ ભાષામાં અને સુગમ શૈલિમાં તેની રજૂઆત કરવી, એ ગ્રંથરચનાનું ખાસ દષ્ટિબિંદુ છે. પ્રશ્નપૂણિયા શ્રાવકે પિતાની એક સામાયિકનું ફલ શ્રેણિક રાજાને આપ્યું હોત તે પરોપકાર થાત કે નહિ ? અને પોપકાર જેવું બીજું પુણ્ય કયું છે ? ઉત્તરકિયા એક કરે અને તેનું ફલ બીજાને મળે, એ સિદ્ધાંત જૈન ધર્મને માન્ય નથી. જૈન ધર્મ તે એમ માને છે કે જે મનુષ્ય જેવી ક્રિયા કરે, તેને તે પ્રકારનું ફલ મળે. પૂણિયા શ્રાવકે કદાચ એમ કહ્યું હતુ કે “તમને એક સામાયિકનું ફલ આપ્યું છે એ મન મનાવવાની વાત હોત. વાસ્તવમાં એ ફલ તેમને મળતા નહિ. પૂણિયે શ્રાવક તે જ શુદ્ધ અને સામાયિક કરવાથી દંભ અને ખુશામતથી પર થયે હતું, એટલે તેણે સ્પષ્ટ જણાવી દીધું કે એમ બનવું અશક્ય છે. પારકાનું ભલું થાય, એવી વૃત્તિ અને પ્રવૃત્તિને પરોપકાર કહેવામાં આવે છે અને તે કરવા જેવું છે, પણ અહીં પોપકાર થાય એવી પરિસ્થિતિ ન હતી. વળી
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy