SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કયવન્તાશેઠનું સૌભાગ્ય કરોડોની મિલકતની માલિક તે જ થવાની છે. લગ્ન કરીને પત્ની બન્યા પછી તે પિતે જ મારી માલિકીની બનવાની છે. એટલે એ મિલકતનો માલિક–ભોગવનાર હું જ બનવાનો છું. લેકો કહે છે તેમ, જ્યારે માણસનું ભાગ્ય ખીલે છે ત્યારે આમ જ ખીલે છે. કુતપુર્યના વિચારો સાગરના તરંગોની પેઠે ઉછાળા મારવા લાગ્યા. અમે તેમ તો પણ એ રહી ગણિકાની પુત્રી. પત્ની બને તો પણ ગણિકાની જાત તો ખરી જ ને! શરૂ શરૂમાં જે તેને પુષ્પની માફક ખીલવવામાં ન આવે તે પોતાની જાત પર ગયા વિના પણ ન રહે. લગ્ન પછી થોડા દિવસ સુધી તે તેને પ્રેમના રંગે જ રંગાવવી જોઈએ. કૂલના દડાની માફક હાથમાં રમાડતા રહેવું જોઈએ. તેના પ્રત્યેક બોલે તેને અનુકૂળ થતા રહેવું જોઈએ. જે મેળ સારે જામી જાય તો આખું જીવન અહીં વીતાવવામાં પણ શો વો ? લક્ષ્મી અઢળક હેવાથી કમાવાની જરૂર નથી. લગ્ન કરીને પતિ તરીકેના હકકે ભોગવવાના છે. આ સુંદર આવાસ મારી માલિકીનો જ બની જશે. અહા ! શું યોગાનુયોગ! સુંધવા આ સંપૂર્ણ વિકસેલા ફલને અને ભાગ્યે જેર કરીને ધયું ખીલતું ફલ.” માણસના વિચારોને કોઇ પણ જાતના સીમા રહેતી નથી. કપના સૃષ્ટિમાં વિચરતો માણસ કદાચ ઊંડા કૂવામાં કે ઊંડી ખાઈમાં ઝંપલાવે તો આશ્ચર્ય ન ગણાય ! કૃતપુણ્ય મલિકાના સોંદર્ય પ્રત્યે આકર્ષાઈને તેના આવાસ આવ્યો હતો. બદલામાં ધારવા કરતાં તેને જુદી વસ્તુ પ્રાપ્ત થવાને પ્રસંગે ઉપસ્થિત થયે. પ્રેમના બહાને આવેલ અન્ત તે એક ડાક જેવા વિચાર કરવા લાગ્યો. મલ્લકાના બદલે અનંગસેનાને મેળવવાને પ્રસંગ આવ્યો છે તે પણ તેને પસંદ પડી ગઈ પોતે ધન આપીને સૌંદર્ય ભર્યો દેહ ચૂંથવા આવ્યો હતો. પણ સંજોગોએ ન પલટો લેતાં સામાનુંજ ધન લૂંટી લેવાની તેને તમન્ના જાગી. માનવસ્વભાવ જ એક પ્રકારના લૂંટારા જેવો હોય છે.
SR No.022892
Book TitleKayvanna Shethnu Saubhagya
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSanskruti Rakshak Sastu Sahitya Karyalay
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy