SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨૯ કાવનાશેઠનું સૌભાગ્ય ખૂબ ઉહાસમય બની ગયું હતું. પક્ષીઓને કિલકિલાટ અને માનવોનો ઘવાટ તેના આનંદમાં વધારો કરતા હતા. શત્રે પથારીમાં પડયા પડયા તેને પરિમલના વિચાર આવવા લાગ્યા. બિચારી પરિમલ ! અને બીજાના સુખને ખાતર પોતાના જીવનને ભેગ આપનાર એ આદર્શવાદી યુવક-અનંતકુમાર ! કેવું સુંદર જોડું હતું! મારી મખનાં કારણે તેનું ખંડન થયું. હંસ ગયો ને હંસલી રહી! બિચારી પિતાનું જીવન કેવી રીતે વીતાવતી હશે! પરિમલના મૃત્યુની તેને ખબર નહોતી. ધન્યાને આજે તેના વિષે તે પૂછી શકો નહોતો. તેના સમાચાર ન પૂછવામાં અને તેને ન મળવામાં પિતે મોટી ભૂલ કરી છે, એમ તેને લાગવા માંડયું. જે ધન્યા જાગતાં હોત તો તે અત્યારે જ તેને પૂછી લેત. પણ ધન્ય અને કલ્યાણ, બંને જણ નિદ્રાદેવીને આધિન થઈ ગયાં હતાં તે એકજ વિચાર વમળમાં અટવાઈ ગયો હતો. વિચારતરંગ સમુદ્રતટંગ કરતાં પણ બહુ તોફાની હોય છે. સમુદ્રતરંગ તે અમુક સમયે જ તોફાને ચઢે છે, જ્યારે વિચારતરંગને માટે તો કઈ સમય કે સ્થાન નકકી હેતાં જ નથી. તે તોફાનને સમાવવા બહું મુશ્કેલ હોય છે. કતપુણ્યના વિચારતરંગ પણ તેફાને ચડયા હતા. જેમ જેમ તે તોફાનને શમાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો, તેમ તેમ તોફાનનું જોર વધવા લાગ્યું. અંતે કંટાળીને તે હતાશ બની ગયો. તેની તે હતાશતાને લાભ થઇને નિદ્રાદેવીએ તેને ઝડપી લીધે.
SR No.022892
Book TitleKayvanna Shethnu Saubhagya
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSanskruti Rakshak Sastu Sahitya Karyalay
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy