SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧૦ મું ૨૦૧ શિક્ષકા । $ વિદ્યાર્થી એના જીવનમાં મેટા આધાર શિક્ષકા ઉપર રહેલા છે. જ્યાં સુધી સદ્ગુણી, સંસ્કારી, વ્યસન રહિત અને શુદ્ધ ચારિત્રવાળ શિક્ષકાની દેખરેખ વિદ્યાથી એ ઉપર ન હોય ત્યાં સુધી વિદ્યાથી એના જીવનને કાઇ હેતુ સફળ થઇ શકતા નથી. · આ માણસ સાત ચોપડી ભણ્યા છે અથવા મેટ્રીક પાસ થયા છે અથવા ટ્રેઇનીંગ પાસ કરેલ છે એટલે તે શિક્ષક થવાને યોગ્ય છે. ' આ ધારણે આજે શિક્ષકા નિયુક્ત કરવામાં આવે છે. પણ શિક્ષકના ચારિત્ર સંબંધીની યાગ્યતા બહુ જ આછી જોવામાં આવે છે અને તેમાં ચે જ્યારે પેટના પાણ પૂરા પગાર પણ ન મળતા હોય, ત્યારે એ શિક્ષક કયાં સુધી નૈતિક જીવન જાળવી શકશે ? અને નહિ જાળવી શકે તે વિદ્યાથી એ ઉપર તેની શી અસર થશે ? એને વિચાર બહુ એછા કરવામાં આવે છે. · શિક્ષક એટલે વિદ્યાગુરુ. ' –આજે કાઇ પણ વિદ્યાથીને ગુરુ કાણુ છે ? એ કાના આદ સ્વીકારી રહ્યા છે ! એને નિર્ણય કરવા અશકય છે. હમણાં હું તમને કહીશ તેમ, સ્કૂલામાં અનેક વિષયા ચલાવવામાં આવે છે. તે દરેક વિષયે'ના શિખવનાર જુદા જુદા શિક્ષા છે. ચાલીસ ચાલીસ કે પીસ્તાલીસ પીસ્તાલીસ મિનિટના એક પીરીયડમાં એક એક ગુરૂ બદલાય છે. પાંચ કલાક કે છ કલાક માત્ર વિદ્યાર્થીને સ્કૂલમાં રહેવાનું થાય છે, તેટલા સમયમાં તેટલા કે તેથી દેોઢા વિદ્યાગુરૂએ બદલાઇ જાય છે. એટલે વિદ્યાર્થી ના કાઇ પણ્ સાચા ગુરૂ નથી. તે સિવાયના અઢાર કે એગણીસ કલાક વિદ્યાર્થી અનેક પ્રકારના જુદા જુદા સસ્કારામાં રહે છે. અને માતાપિતાએએ તે સાત કે આ↓ વર્ષની ઉ ંમરમાં પેાતાના છેાકરને નિશાળમાં બેસાડયા ત્યારથી બાળકનાં જીવનઘડતરની જવાબદારી ઉતારી નાખી છે. આવી સ્થિતિમાં આજના વિદ્યાર્થીને સાચે ગુરૂ
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy