SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ભુજમાં ચાતુર્માસ ૩૪૫ હું તે વંડામાં જ ભાષણ કરીશ. પહેલાં સવા માસ રહી ગયો ત્યારે પણ વંડામાં જ મેં પ્રવચનો કર્યા હતાં ને ?” ડોસીમાએ કડક થઈને કહ્યું : “ના, એમ ન થાય ! મુનિરાજે જવાબ આપ્યો : મા ! થાય કે ન થાય એ તો મારે મારા ગુરૂને પૂછવાનું રહ્યું તમારે આ બાબતમાં કંઈ કહેવાની જરૂર નથી.’ અને એટલું સાંભળતાં જ લાકડી ટેકતાં ટેકતાં અને બડબડાટ કરતાં કરતાં ડેસીમા રવાના થયાં. પાછળથી મુનિરાજને જાણ થઈ કે આ માજી અને એમની બીજી ત્રણેક મદદનીશ સ્ત્રીઓ ભૂજમાં જ્યારે કોઈ તપાગચ્છના સાધુ ચોમાસુ કરે . છે ત્યારે તેઓ પોતાનો કડબ જમાવી દે છે જેથી કોઈ પણ સાધુ એમના વિચારથી જરાયે આ પાછો ન થાય. વધારેમાં તે મુનિરાજને એ પણ જાણવા મળ્યું કે તપાગચ્છને ખાસ ખાસ અગ્રેસર શ્રાવકે પણ આ ડોશીમા અને એમની ચેલીઓ ની મરજી જાળવીને જ બધું કરે છે. આ વખતે પણ તપાગચ્છના કેટલાક શ્રાવકે આ “નારીવૃંદના વિચારોને ચક્રાવે ચડ્યા અને વ્યાખ્યાન વંડામાં ન થાય તો સારૂ એવી ઈચ્છા એમણે પણ વ્યક્ત કરી. શ્રી વિદ્યાવિજયજી જાણતા હતા કે આ લેકે વંડામાં વ્યાખ્યાન શા માટે નથી ચાહતા ? મુખ્ય કારણ તો એ હતાં કે જૈન સાધુ ઉપાશ્રયની ચાર દિવાલથી બહાર વ્યાખ્યાન આપી જ ન શકે, એવી એમની માન્યતા અને બીજુ એ કે વંડા જેવા પ્રસિદ્ધ સ્થાનમાં વ્યાખ્યાન થાય, તે
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy