SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છના કિનારે ૩૨૭ વિદ્યાવિજયજીના સ્વયંસેવકાએ એને ભાજત કરાવ્યું અને રાતભર પેાતાની સાથે રાખ્યા. બાવાજીનેા આનંદ માતા ન હતા. મુનિમંડળ ત્યાંથી રવાના થયું. એટલે આ બાવાજી પણ એની સાથે સાથે રવાના થયા. રસ્તામાં એને મરડા થયા અને એની સ્થિતિ ગંભીર થવા લાગી. ખાવડા ખાતે આવ્યા ત્યારે ખાવાજીને છુટા કર્યાં. આભારની લાગણી વ્યક્ત કરતા બાવાજી રવાના થયા. આમ પોષ સુદ ૭ ને બુધવારે આખુયે મુનિમંડળ કચ્છના કિનારે રહેમકી ભારે આવી પહોંચ્યું. વિદ્યાવિજયજી જ્યાં જ્યાં પ્રવાસ કરે ત્યાં ત્યાંને તિહાસ, ભૂગેાળ અને સમાજ દર્શીન એ ત્રણનેા અભ્યાસ કરવાની એમની ભારે જીજ્ઞાસા. પોતે જે ધરતી ઉપર પગ મૂકયા છે એ ધરતીના પૂર્વ ઇતિહાસ રો। હતા? હાલ કેવી પરિસ્થિતિ છે–ભૂગાળમાં એનું સ્થાન કયાં છે? ત્યાંની પ્રજા ભૂતકાળમાં કેવી હતી ! આજ કેવી છે ? આવા આવા અનેક પ્રશ્નોને ઝીણવટભર્યાં અભ્યાસ કરે અને જનતાને એને લાભ મળે એ દૃષ્ટિએ સૌની નોંધ કરે અને એ નાંધ પરથી ગ્ર ંથ તૈયાર કરી જનતાને એને લાભ આપે. હેમકી બજારમાં રસ્તા ઉપરની એક ધમ શાળામાં મુનિમ`ડળે મુકામ કર્યાં. અને ત્યાંથી પહેલા મુકામ ફલરી ખાતે કર્યાં. પથરાયેલા ખુલ્લા મેદાન ઉપરથી લાગતું કે આ રહ્યુ છે. મા માં કાઈ જગાએ પાણીનું નાતિશાન ન મળે, ન ઝાડ ન પાંડુ; ન પશુ ન પક્ષી. ઉપર આભ નીચે જમીન.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy