SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસંમેલન ૨૧૩ પછી પણ નિષ્ફળ થતા સંમેલનને મુનિરાજ વિદ્યાવિજયજી અને એમના વિદ્વાન મિત્ર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ સફળ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. શ્રી વિદ્યાવિજયજીએ સાધુ સંમેલનનું સિંહાવલોકન કરતાં કેટલીક મહત્વની વસ્તુઓનો નિર્દેશ કર્યો હતો સંમેલન તરફથી દશમા ઠરાવ પ્રમાણે પાંચ મુનિની એક સમિતિ નીમવામાં આવી હતી. અને એ સમિતિનું નામ “જૈનધર્મસત્યપ્રકાશ સમિતિ રાખવામાં આવ્યું હતું. એ સમિતિમાં સાગરાનંદસૂરિ, લબ્ધિસૂરિ, લાવણ્યવિજયજી, દર્શનવિજ્યજી અને વિદ્યાવિજયજી-એમ પાંચ મુનિઓને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમિતિ તરફથી તટસ્થ જૈન ધર્મપ્રકાશ નામનું માસિક કાઢવામાં આવ્યું અને વિદ્યાવિજયજી એમાં અવારનવાર લેખો લખતા. હજુ પણ આ માસિક ચાલે છે. જુઓ પરિશિષ્ટ – સાતમું .
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy