SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિસંમેલનની પ્રાથમિક ભૂમિકા ૨૦૭ સામાન્ય લેક્સમૂહમાં સાધુસંસ્થા વિષે જે આદર બંધાયો હોય છે તે મોળો પડે છે. બીજી બાજુ પશ્ચિમની હવા જોરથી ચાલી આવે છે. જગતનાં નવાં બળોના આંચકા ભારતની સમસ્ત પ્રજાને લાગે છે અને જૈનો પણ તેમાંના એક હોઈને તેમાંથી બચી શકતા નથી. - સાધુસંસ્થાનું વાતાવરણ ધીમે ધીમે વધારે અનિચ્છનીય બનતું જાય છે. શિથિલાત વધારે જોર પકડે છે, અંદર અંદરના વિખવાદો વધુ કટુ બને છે. માનાપમાનના ઝગડા ઘણા તીવ્ર થાય છે. કોઈ કોઈનું સારું જોઈ શક્તા નથી. એથી સમાજના હદયમાંથી તેમના માટેની માનવૃત્તિ ઝપાટાભેર ઘટતી જાય છે, એટલે સાધુઓ વધવા છતાં ધર્મોત્સવ વધારે છતાં પુસ્તકે વધારે પ્રકાશિત થવા છતાં સામુદાયિક ઉત્થાન થતું નથી. ચારિત્ર્યની બોટ એ મહાન ખોટ છે કે તે કોઈ પણ વસ્તુથી પૂરી શકાતી નથી.' આ સંમેલન માટે શ્રી. ચતુરભાઈ મણિભાઈ નગરશેઠની સહીથી જ્યારે એક નિવેદન પ્રગટ કરવામાં આવ્યું. અને સંવત ૧૯૯૦ના ફાગણ વદ ૩ ને રરિવાર તા. ૪-૩-૧૯૩૪ ના રોજ આ સંમેલન અમદાવાદ ખાતે ભરવા સંબંધી આમંત્રણ પત્રિકાઓ નીકળી ચૂક્યા પછી શ્રી. વિદ્યાવિજયજીએ સંમેલનના કાર્યકર્તાઓ દ્વારા ઉપયોગી માર્ગદર્શન કર્યું હતું. + રાજનગર સાધુ સંમેલન શ્રીધી. . શાહ ૪ જુઓ પરિશિષ્ટ છઠ્ઠ
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy