SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ખંડ ૫ મે ક્યાં સાઠંબા અને દેહગામનું બહેચરદાસનું જીવન અને ક્યાં કાશીની પાઠશાળામાં ધર્મધુરંધર ગુરૂદેવના શરણમાં બહેચરદાસમાંથી પરિવર્તન પામેલ વિદ્યાવિજય ? કયાં એ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય ગુરૂદેવ અને કયાં પિતે? વિદ્યાવિજ્યનું હૈયું લેવાઈ જતું હતું. કરુણાના ઘેરા રંગે એ રંગાઈ ગયું હતું. સંતપુરુષે દેહની નશ્વરતા જાણે છે છતાં પણ આવા શેકના પ્રસંગોએ પોતાના પુરોગામી–પોતાના શિરછત્ર-પોતાના સર્જકનાં સ્મરણ દષ્ટિ આગળથી દૂર નથી થતાં. અને ભારતવર્ષ તે આવા તેવો મરઃ ની ભાવના પુરાતન કાળથી ભણતે આવ્યા છે. ગુરૂનાં સન્માન એને મન ઘણાં મોટાં છે. એવા અજોડ ગુરૂની વિદાય શિષ્યને વસમી લાગે એ સ્વાભાવિક છે. અને એમની જીવંત પ્રતિમા જાણે દૃષ્ટિ સમીપ ખડી થઈ જતી * પ્રફુલ્લ બૃહસ્પતિની બેડલી સમોવડી નયન બેલડી હમારી પ્રજવળ પ્રકારતા, વિશાળ તેજસ્વી ભાલદેશે અનેક રેખ ત્રિપુંડ સમી તત્વચિંતનની રેખાઓ લખાતી. જ્ઞાન : ભારે ભમરે નમત, અનુભવના અંબારથી અંજાયેલાં ઉપચાં ધીમેશથી પડતાં-પડતાં.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy